________________
જૈનધર્મ
ચારેયની સાધના-માર્ગની વ્યવસ્થાનું નિર્માણ કરનાર તીર્થકર કહેવાય છે.
તીર્થંકર જ્યારે દેહભાવથી મુક્ત બની જાય છે, વિદેહ બને છે, મોક્ષમાં ચાલ્યા જાય છે ત્યાર બાદ ફરી એમનો આત્મા સંસારમાં આવીને દેહ ધારણ નથી કરતો કે અવતરતો નથી. જૈન ધર્મ અવતારવાદનો નમ્રતાપૂર્વક ઈન્કાર કરે છે. પણ આ જ સંસારના અન્ય વિશિષ્ટ આત્માઓ સાધના-આત્મસાધના કરીને તીર્થંકર પદ સુધી પહોંચે છે. તીર્થકર બને છે. એકવાર આત્મા કર્મોના બંધનથી સંપૂર્ણપણે મુક્ત થઈ ગયા પછી ફરી કયારેય કર્મોથી બંધાઈ ના શકે. માટે ન તો એ સંસારી બને કે ન સંસારમાં ફરી આવે.
દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળમાં ર૪-૨૪ તીર્થંકર થાય છે. આ કાળચક્રમાં ર૪ તીર્થક્સે થયા છે. શ્રી ઋષભદેવે સર્વપ્રથમ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. આ અવસર્પિણી કાળના તે પ્રથમ તીર્થંકર છે. વર્તમાન કાળચના ચરમ-ચોવીસમા તીર્થંકરનું નામ છે. શ્રમણ ભગવાન મહાવીર
ચોવીસેય તીર્થકરોએ પોતપોતાના સમયમાં તીર્થની સ્થાપના કરી અને ધર્મ-સાધના માટે સુરેખ અને સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું. સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિક-આ ચારે માટેની આચાર-સંહિતાનું તેમજ અનેકાન્તમયી વિચારધારાનું નિરૂપણ અને પ્રતિપાદન કર્યું જૈન ધર્મનું મૌલિક રૂપ- સ્વરૂપ ભગવાન શ્રી ઋષભદેવથી માંડીને ભગવાન શ્રી મહાવીર સુધી એક સરખું રહ્યું છે.
ધર્મનું અંતિમ સાધ્ય મુક્તિ/મોક્ષનિર્વાણ છે. મુક્તિ પ્રાપ્ત કરવાના સાધન છે : અહિંસા, સત્ય ઇત્યાદિનું આચરણ આ આચરણમાં માતાભેદ જરૂર થયો છેપરંતુ સ્વરૂપ ભેદ કોઈપણ તીર્થકરના કાળમાં થયો નથી. ભગવાન શ્રી ઋષભદેવે શાશ્વત સત્યનો જે ઉપદેશ આપ્યો તે જ ઉપદેશ શ્રમણ ભગવાન મહાવીર આપ્યો. તીર્થકરોનો આ સનાતન સત્યનો ઉપદેશ વિવિધ સમયે નિર્ગસ્થપ્રવચન, જિન-વાણી, આહંત ધર્મ, વીતરાગ ધર્મ અને જૈન ધર્મ વગેરે નામાભિધાન પામ્યો. તીર્થંકર ઉપદિષ્ટ ધર્મ આજે જૈન ધર્મ નામે લોક વિખ્યાત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org