________________
જૈનધર્મ
* કાળનો વિભાગ
ચડતી અને પડતી, વિકાસ અને વિનાશની અપેક્ષાએ કાળના બે મુખ્ય ભાગ છે ઃ ૧. અવસર્પિણી અને ૨. ઉત્સર્પિણી..
અવસર્પિણી કાળ એટલે પડતીનો કાળ. આ કાળમાં આયુષ્ય, શરીર, બળ, સુખ વગેરેની ક્રમશઃ પડતી થાય છે. ઉત્સર્પિણી કાળ એટલે ચડતીનો કાળ. શરીર, બળ, સુખ વગેરેની ક્રમશઃ ચડતી થાય છે.
આ કાળમાં આયુષ્ય,
આ ચડતી-પડતી સમુહની અપેક્ષાએ થાય છે, વ્યક્તિની અપેક્ષાએ નહિ.
અવસર્પિણી કાળ ચરમ કક્ષાએ પહોંચે છે ત્યારે ઉત્સર્પિણી કાળનો પ્રારંભ થાય છે. અને ઉત્સર્પિણી કાળનો અંત એ અવસર્પિણી કાળનો પ્રારંભ છે. આ કાળચક્ર (Wheel of Time) ક્મશઃ ઘૂમતું રહે છે. * ‘આરા’ની વ્યવસ્થા
ઉપર્યુક્ત કાળચક્રના દરેકના છ છ ભાગ ખંડ હોય છે. તેને આરા' કહે છે
૧. એકદમ સુખદ [સુષમ સુષમા કાળ] ૨. સુખદ [સુષમા કાળ]
૩. સુખદ-દુઃખદ [સુષમ-ષમા કાળ ૪. દુઃખદસુખદ [દુષમ-સુષમા કાળ] ૫. દુઃખદ [દુષમ કાળ]
૬. દુઃખદ જ દુઃખદ [દુષમ-ષમા કાળ]
આજે આપણે સૌ અવસર્પિણી-પડતી-કાળના દુઃખદ નામના પાંચમા કાળખંડ/આામાં જીવી રહ્યા છીએ.
* તીર્થ અને તીર્થંકર.
જૈનોના પૂજ્ય, શ્રદ્ધેય, આસધ્ય અને દેવાધિદેવ તીર્થંકર છે. તીર્થંકર એટલે તીર્થની સ્થાપના કરનાર તીર્થનો વિશિષ્ટ અર્થ છે. સંઘ, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા આ સંયુક્ત ચારને સંઘ કહે છે. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org