________________
જૈનધર્મ
** સર્વદર્શી : તમામ પદાર્થ અને પર્યાયને, વિચાર અને વૃત્તિને જોનાર કેવળદર્શી
ܡ
જિનેશ્વરોએ સ્વયં જીવીને આત્મસાધનાનો જે માર્ગ બતાવ્યો, તે માર્ગ આત્મસાધકો માટે આરાધ્ય ધર્મ બની ગયો. જિનો જિનેશ્ર્વરોએ એ ધર્મની પ્રરૂપણા કરી, તેથી તેનું નામ પડયું જિન ધર્મ. જિનેશ્વરોના ભક્તો અને અનુયાયીઓ તેમના ધર્મનું પાલન કરે છે, એથી તે આજ જૈન ધર્મ'ના નામે પ્રચલિત અને પ્રતિષ્ઠિત છે. આ ધર્મનું આરાધન અને પાલન હર કોઇ કરી શકે છે. જ્ઞાતિ, જાતિ, ધર્મ, પંથ, દેશ, વેષનું તેમાં કોઇ બંધન નથી. તેની સાધનાનાં દ્વાર સૌ માટે સદાય ખુલ્લાં રહે છે.
* જૈન ધર્મનો વિકાસક્રમ
જૈનધર્મ વિશ્વના તમામ ધર્મોમાં એકદમ સ્વતંત્ર અને અલગ તરી આવે છે... જૈનધર્મ પાસે પોતાની મૌલિક વિચારધારા છે.... મૌલિક તત્ત્વજ્ઞાન છે... ઉછી, ઉધારાનું નહીં ! વરસો જુની પરંપરામાં સાયેલી, સચવાયેલી આચાર, વ્યવસ્થા છે. આ ધર્મની નિરાળી વિચાર-વ્યવસ્થા છે. સમજણ છે.,અનેકાન્તવાદની એક એવી અનોખી દૃષ્ટિ છે કે જેના માધ્યમથી વિશ્વના પ્રત્યેક પદાર્થને તદ્દન નવા જ છતાંયે બિલકુલ સાચા આયામમાં જોઇ-જાણી શકાય છે !
જૈન ધર્મના પ્રારંભની કોઇ ચોક્કસ તિથિ કે તારીખ નથી. તેના આદ્ય પ્રવર્તક તરીકે કોઇ એક વિશેષ વિભૂતિ પણ નથી. કાળનું મૂળ કહી શકાય તો જૈન ધર્મનું મૂળ બતાવી શકાય. જૈન ધર્મ અનાદિ કાળથી ચાલ્યો આવે છે.
કાળની અપેક્ષાએ જે સામુહિક પરિવર્તન થાય છે, તેને ક્ર્મ-વિનાશવાદ કે ક્રમ-વિકાસવાદ કહે છે. કાળના પરિવર્તન સાથે ક્યારેક ચડતી થાય છે, ક્યારેક પડતી થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org