________________
જૈનધર્મ
સૂર આ ધર્મ: અરિહંતોનો ધર્મ
૪ અનેકાન્ત દર્શન : એકથી વધુ દષ્ટિકોણથી જોવા-વિચારવાની ચિંતનધારા.
વીતરાગ ધર્મ: સગ અને ડેષ વિનાના પરમાત્માનો ધર્મ. જિનની ઓળખ
જૈન ધર્મના આદ્ય પ્રરૂપક છે, જિન. જિન એટલે વિજેતા. માનવ જીવનનું ચરમ અને પરમ લક્ષ્ય/ધ્યેય છે મોક્ષ. મોક્ષની સાધનામાં રાગ અને દ્વેષ પ્રચંડ બાધક અને અવરોધક છે. આત્માને અનંતીવાર જનમ-મરણની ઘમ્મર ઘૂમરડીમાં ઘુમાવતા આ બે-રાગ અને દ્વેષ ભયંકર આંતરિક શત્રુઓ છે. રાગ અને દ્વેષ વ્યક્તિ વિશેષ નથી. તે બંને મનોભાવ છે. વિચાર અને વૃત્તિ છે. અંતર સાથે તેનો સંબંધ હોવાથી તેને આંતરિક કહ્યા છે. રાગના વિચાર અને દ્વેષના વિચાર આત્માને દૂષિત અને દોષિત બનાવે છે. શત્રુનું તે કામ કરતા હોવાથી તેને શત્રુ ગણવામાં આવ્યા છે. કામ, ક્રોધ, માન, માયા, લોભ વગેરે પણ આંતરિક શત્રુઓ છે. પરંતુ એ બધા જ શત્રુઓ રાગ અને દ્વેષનો વંશ-વિસ્તાર છે. આ બધા જ આંતરિક શત્રુઓ પર જેમણે સંપૂર્ણ અને સર્વથા વિજય મેળવ્યો છે, તેમને “જિન” કહેવાય છે. તે અન્ય નામોથી પણ ઓળખાય છે. આ પ્રમાણે
* અરિહંત : આંતરિક શત્રુઓને હણનાર. ક અહઃ પૂજ્યાતિપૂજ્ય. 3; વીતરાગ રાગ અને દ્વેષથી રહિત.
ફક સર્વજ્ઞ : તમામ પદાર્થ અને પર્યાયને, વિચાર અને વૃત્તિને જાણનાર કેવળજ્ઞાની.
પરમેષ્ઠિ: પરમપદ મોક્ષને ઉપલબ્ધ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org