________________
જૈનધર્મ
કાયાથી સદાય, સર્વત્ર અને સર્વથા ત્યાગ. પાપ પોતે તો કરવાનું નહિ જ બીજા પાસે કરાવવાનું નહિ અને બીજો કોઇ પાપ કરતો હોય તો તેનું સમર્થન પણ કરવાનું નહિ.
દેશવિરતિ એટલે પાપોનો મર્યાદિત, શકિત પ્રમાણે ત્યાગ.
અહીં ધર્મ એટલે ચોકકસ આચારસંહિતા. સાધુ અને સાધ્વી માટે સાધનાની આચાર-સંહિતા એટલે સર્વવિરતિ ધર્મ. શ્રાવક અને શ્રાવિકા માટે સાધનાની આચારસંહિતા એટલે દેશવિરતિ ધર્મ. ગૃહસ્થ અને સાધુ માટે ધર્મ સાધનાની ભૂમિકા દ્વારા આ બે ભેદ કરવામાં આવ્યા છે. * સર્વવિરતિ ધર્મ [સાધુ ધર્મ
સ્ત્રી કે પુરુષ ઘરસંસારનો ત્યાગ કરીને જૈન ધર્મની દીક્ષા લે છે ત્યારે એ પુરુષ સાધુ, શ્રમણ કે મુનિ ક્લેવાય છે. અને સ્ત્રી દીક્ષા લે છે ત્યારે તેને સાધ્વી, શ્રમણી કે આર્યા કહેવાય છે. જૈન સાધુ કે જૈન સાધ્વી બનવા માટે પાંચ મહાવ્રત [વિશિષ્ટ પાંચ પ્રતિજ્ઞાઓ] અંગીકાર કરવાં અનિવાર્ય હોય છે.
* પાંચ મહાવ્રત
૧. પ્રાણાતિપાત વિરમણ [અહિંસા] ૨. મૃષાવાદ વિરમણ [સત્ય]
૩. અદત્તાદાન વિરમણ [અચાર્ય-ચોરીનો ત્યાગ] ૪. મૈથુન વિરમણ [બ્રહ્મચર્ય ૫. પરિગ્રહ વિરમણ [અપરિગ્રહ]
મુમુક્ષ દીક્ષા લેતા સમયે આ મહાવ્રતોને અંગીકાર કરતાં કહે છેઃ હે ભગવંત! હું સર્વપ્રકારની હિંસાનો ત્યાગ કરવાનો નિયમ લઉ
છું. હું સર્વ પ્રકારના અસત્યનો ત્યાગ કરવાનો નિયમ લઉ છું. હું તમામ પ્રકારની ચોરી નહિ કરવાનો નિયમ લઉં છું. હું તમામ પ્રકારના ભોગોનો ત્યાગ કરવાનો નિયમ લઉં છું. હું બધા જ પ્રકારના પરિગ્રહનો ત્યાગ કરવાનો નિયમ લઉં છું.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org