SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ * કષાય આ દસ સંજ્ઞાઓમાંથી ૫ થી ૮ ની ચાર સંજ્ઞાઓને ‘કષાય-સંજ્ઞા’ પણ કહે છે. ક્રોધ, માન, માયા અને લોભ-આ ચારનું એક સંયુકત નામ એટલે કષાય'. તેમાં બે શબ્દ છે. કર્ષ અને આય. કષ એટલે સંસાર. ‘આય’ એટલે કરાવનાર, વધારનાર, આ ચાર કષાય જીવાત્માને અનંત સંસારમાં ભટકાવે છે. જીવાત્માને ભવભ્રમણ કરાવનાર આ મુખ્ય વૃત્તિઓ છે. કષાય એ મનનો આવેગ છે. તે ભય, શોક, ઘૃણા આદિ ૯ મુખ્ય નિમિત્તોથી ઉત્તેજિત થાય છે. એ નવ નિમિત્તોને ‘નો-કષાય' કહે છેઃ આ પ્રમાણે : ૧. હાસ્ય ૨. રતિ ૩. અરિત અકારણ હસવું – ક્ષુલ્લક બાબતમાં ખુશ-રાજી થવું. - - નારાજ થવું. જૈનધર્મ ૪, ભય - ડરવું. ૫. શોક – રડવું, કકળવું. ૬. જુગુપ્સા - નાક-મોં મચકોડવા-તિરસ્કાર કરવો- ઘૃણા કરવી. ૭. પુરુષવેદ – સ્ત્રીનો સંસર્ગ કરવાની વાસના ૮. સ્ત્રીવેદ – પુરુષનો સંસર્ગ કરવાની વાસના – ૯. નપુંસકવેદ – સ્ત્રી-પુરુષ બંનેનો સંસર્ગ કરવાની વાસના → પાંચ સમવાય Jain Education International કાર્ય અને કારણ બંનેનો ગાઢ સંબંધ છે. કારણ વિના કાર્ય થતું નથી. કાર્ય-કારણના સંબંધને સમવાય કહે છે. તે પાંચ છે. વિશ્વની તમામ લીલા આ પાંચ સમવાયને આભારી છે. કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ, અને પુરુષાર્થ- આ પાંચ સમવાય છે. પાંચેય એકમેક સાથે સંબંધિત છે. આ પાંચ વાદ તરીકે પણ વિખ્યાત છે. તેનો હિમાયતી તેનો વાદી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004537
Book TitleJain Dharma
Original Sutra AuthorN/A
AuthorBhadrabahuvijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1990
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, P000, & P999
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy