________________
૧૧૨
* કષાય
આ દસ સંજ્ઞાઓમાંથી ૫ થી ૮ ની ચાર સંજ્ઞાઓને ‘કષાય-સંજ્ઞા’ પણ કહે છે.
ક્રોધ, માન, માયા અને લોભ-આ ચારનું એક સંયુકત નામ એટલે કષાય'. તેમાં બે શબ્દ છે. કર્ષ અને આય. કષ એટલે સંસાર. ‘આય’ એટલે કરાવનાર, વધારનાર, આ ચાર કષાય જીવાત્માને અનંત સંસારમાં ભટકાવે છે. જીવાત્માને ભવભ્રમણ કરાવનાર આ મુખ્ય વૃત્તિઓ છે. કષાય એ મનનો આવેગ છે. તે ભય, શોક, ઘૃણા આદિ ૯ મુખ્ય નિમિત્તોથી ઉત્તેજિત થાય છે. એ નવ નિમિત્તોને ‘નો-કષાય' કહે છેઃ આ પ્રમાણે :
૧. હાસ્ય
૨. રતિ ૩. અરિત
અકારણ હસવું
– ક્ષુલ્લક બાબતમાં ખુશ-રાજી થવું.
-
- નારાજ થવું.
જૈનધર્મ
૪, ભય - ડરવું. ૫. શોક
– રડવું, કકળવું.
૬. જુગુપ્સા - નાક-મોં મચકોડવા-તિરસ્કાર કરવો- ઘૃણા કરવી. ૭. પુરુષવેદ – સ્ત્રીનો સંસર્ગ કરવાની વાસના
૮. સ્ત્રીવેદ – પુરુષનો સંસર્ગ કરવાની વાસના
–
૯. નપુંસકવેદ – સ્ત્રી-પુરુષ બંનેનો સંસર્ગ કરવાની વાસના
→ પાંચ સમવાય
Jain Education International
કાર્ય અને કારણ બંનેનો ગાઢ સંબંધ છે. કારણ વિના કાર્ય થતું નથી. કાર્ય-કારણના સંબંધને સમવાય કહે છે. તે પાંચ છે. વિશ્વની તમામ લીલા આ પાંચ સમવાયને આભારી છે. કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ, અને પુરુષાર્થ- આ પાંચ સમવાય છે. પાંચેય એકમેક સાથે સંબંધિત
છે.
આ પાંચ વાદ તરીકે પણ વિખ્યાત છે. તેનો હિમાયતી તેનો વાદી
For Private & Personal Use Only
www.jainelibrary.org