________________
જૈનધર્મ
આ વાર્તાલાપ પુનર્જન્મના સિદ્ધાંતની સુવર્ણ સાખ પૂરે છે.
સંજ્ઞા
આઠ કર્મોમાં મોહનીય કર્મ' સૌથી વધુ પ્રબળ છે. આત્મા પર તેની જબરજસ્ત પકડ છે. સાત કર્મો તો આત્માના મૂળ ગુણો અને મૂળ સ્વરૂપને માત્ર આવૃત્ત જ કરે છે, જયારે આ મોહનીય કર્મ આત્માના મૂળ ગુણસ્વરૂપને વિકૃત કરે છે. આ કર્મના કારણે જીવાત્મામાં વિધવિવિધ મનોવૃત્તિઓ બને છે, જન્મે છે, તેને જૈન પરિભાષામાં ‘સંજ્ઞા” કહે છે.
સંજ્ઞા એટલે વૃત્તિ. સંજ્ઞા એટલે મૂર્છા. સંજ્ઞા એટલે આસિત. આજનું મનોવિજ્ઞાન જેને સહજ સ્વાભાવિક મનોવૃત્તિઓના નામે ઓળખે છે, તેને જૈન દર્શને ‘સંજ્ઞા’નું નામ આપ્યું છે. આવી ૧૦ સંજ્ઞાઓ
છેઃ
૧. આાર સંજ્ઞા ૨. ભય સંજ્ઞા
૩. મૈથુન સંજ્ઞા ૪. પરિગ્રહ સંજ્ઞા
૫. ક્રોધ સંજ્ઞા
૬. માન સંજ્ઞા
૭. માયા સંશા
૮. લોભ સંજ્ઞા
૯. ઓઘ સંજ્ઞા
૧૦. લોક સંજ્ઞા
૧૧૧
Jain Education International
ઃ ખાવાની વૃત્તિ અને વિચાર • ડરની લાગણી અને વિચાર : જાતીય વૃત્તિ અને વિચાર : મારાપણાની વૃત્તિ અને વિચાર [મમતા-આસકિત] • ગુસ્સાની વૃત્તિ અને વિચાર : અહંકારની વૃત્તિ અને વિચાર
: કપટની વૃત્તિ અને વિચાર
: ભેગું કરવાની વૃત્તિ અને વિચાર [લાલચ-લુબ્ધતા]
• ગતાનુગતિક અનુકરણની વૃત્તિ અને વિચાર [ગાડરિયો પ્રવાહ : લૌકિક માન્યતાને વળગી રહેવાની વૃત્તિ અને વિચાર [રૂઢિવાદિતા]
For Private & Personal Use Only
www.jainelibrary.org