________________
જૈનધર્મ
શુક્લલેશ્યા કહે છે.
શુકલ લેશ્યાવાળો માણસ રાગ-દ્વેષથી સર્વાર્થ અને સંપૂર્ણ મુક્ત વીતરાગ હોય છે. એ આત્મજ્ઞાની, આત્મધ્યાની અને આત્માનુભાવી હોય છે.
આ લેશ્યામાં સ્થિર થયેલો માણસ મરીને સર્વાર્થ સિદ્ધ વિમાનમાં જન્મ પામે છે. અથવા તો એ સિદ્ધ બુદ્ધ અને મુકત બને છે. છલેશ્યામાંથી પ્રથમની ત્રણ કૃષ્ણ-નીલ, અને કાપોત-લેશ્યાઓ સ્મશઃ અશુભતમ, અશુભતર અને અશુભ છે. માણસને તે ત્રણેય દુર્ગતિમાં ઢસડી જાય છે.
આ
છેલ્લી ત્રણ તેજો, પદ્મ અને શુકલ-લેશ્યાઓ સ્મશઃ શુભ, શુભતર અને શુભતમ છે. માણસને આ ત્રણેય સદ્ગતિમાં લઇ જાય છે.
લેશ્યા એ માણસની મનોદશાનું સજીવ રેખાચિત્ર છે. જૈનેતર દાર્શનિકોએ પણ મનોદશાના આધાર પર માણસના વિવિધ રૂપ-સ્વરૂપનું રેખાચિત્ર દોરી આપ્યું છે. તેમણે ‘રજોગુણ’ ને લોહિત લેખાવ્યો છે. કારણ રજોગુણ મનને મોહજિત કરે છે. ‘તમોગુણ’ને કૃષ્ણ કહ્યો છે. કારણ એ જ્ઞાનને આવૃત કરે છે. ‘સત્ત્વગુણ’ને શુકલ કહ્યો છે. કારણ તે મનને નિર્મળ અને નિર્મમ કરે છે.
૧૦૯
રંગ વિજ્ઞાન colour science નો તો હમણાં વિકાસ થયો. રંગ ચિકિત્સા chromotherapy પણ આજકાલની છે. આ બેનો અભ્યાસ કરતા નિઃશંક કહી શકાય કે રંગ વિજ્ઞાન અને રંગ ચિકિત્સાની આખી ઇમારત આ ‘લેશ્યા' વિજ્ઞાન ઉપર ઊભી છે.
* પુનર્જન્મ
જૈનધર્મ આત્મવાદી ધર્મ છે. આત્માને તે શાશ્ર્વત માને છે, આથી પુર્નજન્મમાં તેને દ્રઢ વિશ્વાસ છે.
પુનર્જન્મ એટલે આત્મા સાથે જયાં સુધી કર્મો સંલગ્ન છે ત્યાં સુધી આત્માનું પુનઃ પુનઃ દેહધારણ. મતલબ ફરી જનમ, ફરી મરણ. વારંવારના જન્મ-મરણ એટલે પુનર્જન્મ, ભવભ્રમણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org