________________
૧૦૮
જૈનધર્મ
૩. કાપોત લેશ્યા : જે સમય માણસના મનની વૃત્તિ અને વિચાર કબૂતરની ડોક જેવો ભૂખરો થાય છે, તે સમયના ભાવને કાપોત લેશ્યા કહે છે.
આ અવસ્થામાં માણસ વધું વાંકું બોલે, વાંકો ચાલે, પોતાના દોષ છુપાવે, બીજાના દોષો પ્રકટ કરે કઠોર વચન બોલે, ચોરી કરે, પરસ્ત્રીની ઈચ્છા કરે, તે ઉદાસ, ઉદ્વિગ્ન, હતાશ, રોલ ને ચંચલ હોય છે. આપ બડાઈ કરવામાંથી તે ઊંચો નથી આવતો.
કાપોત લેશ્યાવાળો માણસ મરીને પહેલી, બીજી કે ત્રીજી નરકે જાય છે.
૪. તેજો લેગ્યા : જે સમયે માણસના મનની વૃત્તિ અને વિચાર ઉગતા સૂરજના રંગ જેવો લાલ થાય છે. તે સમયના ભાવને તેજલેશ્યા કહે છે.
તેજો લેશ્યાવાળો માણસ સરળ, સ્થિરચિત્ત, ન્યાયી, કુતૂહલરહિત, વિનીત, સંયમી, દ્રઢધર્મી પ્રિયધર્મી પાપભીરુ અને કાર્ય-અકાર્યનો વિવેકી હોય છે.
આ વેશ્યાવાળો માણસ મરીને પહેલાં કે બીજા સ્વર્ગલોકમાં જન્મે
૫. પઘલેશ્યા: જે સમયે માણસના મનની વૃત્તિ અને વિચાર ચંપાના ક્લ કે હળદરના રંગના જેવા પીળા થાય છે તે સમયના ભાવને પદ્મશ્યા કહે છે.
પઘલેશ્યાવાળો માણસ શકય તમામ પ્રયત્નોથી કષાયોને (ક્રોધ-માન-માયા-લોભ) પાતળા પાડે, મન, વચન અને કાયાને વશમાં રાખે છે. તે મિત-હિત-પ્રિયભાષી, ક્ષમાવાન, ત્યાગપરાયણ, વ્રતપાલક તેમજ હરહાલમાં ખુશહાલ રહે છે.
પવલેશ્યાવાળો મરીને પાંચમાં સ્વર્ગલોકમાં જાય છે.
૬. શુકલ લેયા : જે સમયે માણસના મનની વૃત્તિ અને વિચારો શંખ કે ગાયના દૂધ જેવાં શ્વેત થાય છે, તે સમયના ભાવને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org