SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મ લેશ્યા એટલે મનોવૃત્તિ. વૃત્તિ અને વિચાર એટલે લેશ્યા. વિચારની, વાતાવરણની, તેમજ આહાર-વિહારની તન અને મન ઉપર તીવ્ર કે મંદ અસર અચૂક પડે છે. એ અસર અનુસાર શરીરનો રંગ બદલાય છે. દા.ત. ગુસ્સામાં માણસનો ચહેરો લાલ રંગનો થઇ જાય છે. નિરાશા અને હતાશામાં ડૂબેલાનો ચહેરો રાખ જેવો ફિકકો હોય છે. આ બધા રંગપલ્ટા લેશ્યાને આભારી છે. વૃત્તિ અને વિચારથી બદલાતા રંગોના આધારે લેશ્યાનું વૈજ્ઞાનિક વર્ગીકરણ કરવામાં આવ્યું છે. લેશ્યા છ પ્રકારની છે. : ૧. કૃષ્ણ લેશ્યા : જે સમયે માણસની મનની વૃત્તિ અને વિચાર કાજળ જેવાં કાળા હોય છે, તે સમયના ભાવને કૃષ્ણ લેશ્યા કહે છે. ૧૦૭ આ અવસ્થામાં માણસ પોતે પાપ કરે, બીજા પાસે કરાવરાવે, બીજો પાપ કરતો હોય તેનું સમર્થન કરે, પાંચેય ઇન્દ્રિયનો બેફામ ઉપયોગ કરે. આલોક અને પરલોકના દુઃખથી ડરે નહિ. તે ધર્મહીન, નિર્દય, ઇર્ષ્યાળુ, અત્યંત ક્રોધી, ખારીલો અને ખૂન્નસવાળો હોય છે. કૃષ્ણ લેશ્યાવાળો જીવાત્મા મરીને પાંચમી, કે છઠ્ઠી કે સાતમી નરકે જાય છે. ૨. નીલલેશ્યા : જે સમયે માણસના મનની વૃત્તિ અને વિચાર નીલમ મણિ જેવા નીલા (વાદળી કે લીલા) થાય છે, તે સમયના ભાવને નીલ વેશ્યા કહે છે. આ અવસ્થામાં માણસ અસહિષ્ણુ બને છે, બીજાના ગુણને તે સહી શકતો નથી, પોતે જ્ઞાનાભ્યાસ કરતો નથી અને બીજાને કરવા દેતો નથી. તે રસલોલુપ, વિષય લંપટ, આળસું, એદી, અભિમાની અને બીકણ હોય છે. નીલ લેશ્યાવાળો જીવ મરીને ત્રીજી, ચોથી કે પાંચમી નરકે જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004537
Book TitleJain Dharma
Original Sutra AuthorN/A
AuthorBhadrabahuvijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1990
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, P000, & P999
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy