________________
જૈનધર્મ
છે. પ્રતિષ્ઠા પામે છે. જયારે નીચ ગોત્ર-કર્મ ઉદયમાં આવવાથી જીવાત્મા નીચ અને હલકી નાત-જાત અને કૂળમાં જન્મ પામે છે. તેનાં જીવનમાં બધાં પ્રકારની ઉણપ અધૂરપ હોય છે.
૮. નામકર્મ
આ કર્મ ચિતારા જેવું છે. તે આત્માના મૂળ ‘અરુપીપણું’ ગુણને આવૃત્ત કરે છે.
નામ કર્મના મુખ્યત્વે બે ભેદ છે. ૧. શુભ નામ-કર્મ અને ૨. અશુભ નામ-કર્મ. શુભ નામ-કર્મ ઉદયમાં આવવાથી જીવાત્માને સુંદર શરીર, સંપૂર્ણ આયુષ્ય અને ઉત્તમ આરોગ્ય તેમજ મનગમતાં સુખ મળે છે. બીજાઓને સહજ માન આપવાનું મન થાય તેવું સૌભાગી જીવન તેને મળે છે. જયારે અશુભ નામ કર્મના ઉદયથી જીવાત્માને બેડોળ અને બેઢંગું શરીર મળે છે. તેનું જીવન તમામ દુર્ભાગ્યનો સરવાળો હોય છે. નામ કર્મના ૧૦૩ પ્રકાર છે.
૧૦૩
આ આઠેય કર્મોની ભીંસમાંથી આત્મા સર્વથા અને સંપૂર્ણ છૂટી જાય છે મુકત બને છે ત્યારે તેના સહજ અને મૌલિક ગુણોનું શતદલ કમળ વિકસે છે.
બસ, આ જ મુકિત છે. અહી જ મોક્ષ છે.
દરેક જીવાત્માએ પોતાની જીવનયાત્રા અહીં જ મુક્તિધામે પૂર્ણ કરવાની છે.
* કર્મ-બંધ અને કર્મમુક્તિ
આઠ કર્મનું સ્વરૂપ જોયું. તેનાં ફ્ળની પણ વિચારણા કરી. હવે થોડુંક વિચારીએ કે શું કરવાથી કયું કર્મ બંધાય છે. અને શું કરવાથી કર્મ-બંધનમાંથી મુકિત મળે છે.
૧. જીવાત્મા જ્ઞાનાવરણીય કર્મ છ પ્રકારે બાંધે છેઃ ૧. જ્ઞાન તેમજ જ્ઞાનીની નિંદા કરવાથી, ૨. જ્ઞાનીનો ઉપકાર ભૂલી જવાથી, ૩. જ્ઞાન તેમજ જ્ઞાનીનું અપમાન કરવાથી. ૪. જ્ઞાનાભ્યાસમાં અવરોધ ઊભો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org