________________
૧૦૨
જૈનધર્મ
આ કર્મના પાંચ પ્રકાર છે. ૫. વેદનીય કર્મ
આ કર્મ તલવારની ધાર જેવું હોય છે. તે આત્માના મૂળ “અક્ષય સુખ” ગુણને આવૃત્ત કરે છે.
વેદનીય કર્મના મુખ્યત્વે બે ભેદ છે. ૧. શાતા વેદનીય અને ર. અશાતા વેદનીય. શાતા વેદનીય કર્મ ઉદયમાં આવવાથી જીવાત્માને મનપસન્દ સુખ અને આનંદની પ્રાપ્તિ થાય છે. જયારે અશાતા વેદનીય કર્મ ઉદયમાં આવવાથી જીવાત્મા અનેકવિધ દુઃખોથી રીબાય છે. રડે છે. અશાતા વેદનીય કર્મના લીધે જીવાત્માના હૈયે અજંપો અને અશાંતિ, બેચેની અને બેદિલી રહે છે. અકારણ પણ ઉદાસ રહે છે. શાતા વેદનીય કર્મથી જીવાત્મા શાંત, પ્રસન, સુખી અને નિરોગી રહે છે.
૬. આયુષ્ય કર્મ
આ કર્મ કેદખાના જેવું હોય છે. તે આત્માના મૂળ ‘અક્ષય સ્થિતિ ગુણને આવૃત્ત કરે છે.
આયુષ્ય કર્મ ઉદયમાં આવવાથી જીવાત્મા નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ આ ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે. આયુષ્ય કર્મ પ્રમાણે જીવાત્મા અમુક સમય માટે અમુક પ્રકારનું જીવન જીવે છે. આ જીવન ૮૪ લાખ જીવનમાંથી કોઈપણ પ્રકારનું હોઇ શકે.
આ કર્મના ચાર પ્રકાર છે. ૭. ગોત્રકર્મ
આ કર્મ કુંભારે ઘડેલાં ઘડાં જેવું છે. તે આત્માના મૂળ “અગુરુલઘુ ગુણને આવૃત્ત કરે છે. ( ઉચ્ચ ગોત્ર કર્મ અને નીચ ગોત્ર-કર્મ એમ ગોત્ર કર્મના બે મુખ્ય ભેદ છે. ઉચ્ચ ગોત્રકર્મ ઉદયમાં આવવાથી જીવાત્મા ઊંચી નાત-જાત અને કુળમાં જન્મ પામે છે. સુંદર રૂપ, તીવ્ર બુદ્ધિ મળે છે. ધર્મશૂરો બને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org