________________
જૈનધર્મ
૧૦૧
દર્શન’ ગુણને ઢાંકે છે-આવૃત્ત કરે છે.
| દર્શનાવરણ કર્મ ઉદયમાં આવવાથી જીવાત્મા જોવા યોગ્ય વિષયને જોતો નથી. જોવાની ઈચ્છા છતાં પણ નથી જોઈ શકતો. તેની દષ્ટિ આડે પડદો પડી જાય છે. વધુ સરળપણે કહીએ તો આ કર્મના લીધે માણસને અંધાપો આવે છે. નજર નબળી પડે છે, આંખના રોગ થાય છે, ઊંઘણશી બને છે, ઊંઘમાં ચાલે છે. ઊંઘમાં ન કરવાનું કરી બેસે
આ કર્મના ૯ પ્રકાર છે. ૩. મોહનીય કર્મ
આ કર્મ દારૂ જેવું હોય છે. તે આત્માના મૂળ અનન્ત ચારિત્ર' ગુણને આવૃત્ત કરે છે.
મોહનીય કર્મ ઉદયમાં આવવાથી જીવાત્મા ચારિત્રહીન બને છે. રાગાંધ બને છે. ઈર્ષાળુ બને છે. વસ્તુ અને વ્યકિતમાં આસકત રહે છે. તેનાં જીવનમાં એકથી વધુ દુર્ગુણ હોય છે.
આ કર્મના ૨૮ પ્રકાર છે. ૪. અંતરાય કર્મ
આ કર્મ ભંડારી (કોષાધ્યક્ષ) જેવું છે. જે આત્માના મૂળ “અનન્ત વીર્ય ગુણને આવૃત્ત કરે છે.
અંતરાય કર્મ ઉદયમાં આવવાથી પોતાની પાસે જે હોય છે તે ચાલ્યુ જાય છે. અને મેળવવાની જે ઈચ્છા હોય છે તેની પ્રાપ્તિમાં અવરોધ ઉભો થાય છે. વધુ સરળપણે કહીએ તો આ કર્મના લીધે જીવાત્મા દાન દઈ શકતો નથી. લાભ મેળવી શકતો નથી. એક વખત ભોગવી શકાય તેવી ભોગ સામગ્રી ભોગવી શકતો નથી. વારંવાર ભોગવી શકાય તેવી સામગ્રીનો ઉપભોગ કરી શકતો નથી. ધર્મ સાધના-તપ-ત્યાગ-સંયમ-જપ કશું કરી શકતો નથી. તે માટે તેને ઉત્સાહ નથી જાગતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org