________________
૧૦૦
જૈનધર્મ
અનેકવિધ સુખ-દુઃખના સંવેદનો અનુભવે છે. આમ કર્મ પૌગલિક છે કર્મના પરમાણુઓનો આત્મા ઉપર ઉડો અને આંતરિક પ્રભાવ પડે છે.
શરીર પૌગલિક છે. તેનું કારણ કર્મ છે. મનભાવતા ભોજનથી સુખાનુભૂતિ થાય છે. લાકડી આદિ શસ્ત્રોની મારપીટથી દુઃખાનુભૂતિ થાય છે. ભોજન અને શસ્ત્રો પૌગલિક છે. એ પ્રમાણે સુખ-દુઃખનું કારણ કર્મ પણ પૌગલિક છે.
આત્મા અને કર્મોનો સંબંધ અનાદિ છે, પણ અનંત નથી. કર્મનો ક્ષય કરી શકાય છે. સંપૂર્ણ અને સર્વથા કર્મક્ષય થવાથી આત્મા પરમાત્મા બને છે.
દાત. સોનું, ખાણમાં રહેલું સોનું માટીથી આવૃત્ત હોય છે. તેને વિવિધ પ્રક્યિાઓથી શુદ્ધ અને સ્વચ્છ કરી શકાય છે. એમ કર્માવૃત્ત આત્માને પણ વિવિધ ધર્મારાધનાથી વિમળ અને વિબુધ બનાવી શકાય
જૈન દર્શને કર્મની ફિલસૂફી અંગે તલસ્પર્શી અને સમગ્રતયા વિચારણા કરી છે. કાર્ય-ભેદ/ફળ-ભેદ અનુસાર કર્મના મુખ્યત્વે આઠ પ્રકાર બતાવાયા છે. આ પ્રમાણે :
૧. જ્ઞાનાવરણીય કર્મ
આ કર્મ આંખ પર બાંધેલા પાટા જેવું છે. તે આત્માના મૂળ અનંત ગુણીને ઢાંકે છે-આવૃત્ત કરે છે.
જ્ઞાનાવરણીય કર્મ ઉદયમાં આવવાથી જીવાત્મા જાણવા યોગ્ય વિષયને જાણતો નથી, જિજ્ઞાસા હોવા છતાંય નથી જાણતો. જાણવા છતાંય નથી જાણતો. વધુ સરળપણે કહીએ તો આ કર્મના લીધે માણસ મૂર્ખ, બુદ્ધ, મંદબુદ્ધિ બને છે--હે છે. મન-મગજ નબળા રહે છે. યાદશકિત અલ્પ હોય છે. ભણવામાં રસ-રૂચિ નથી રહેતાં.
આ કર્મના પાંચ પ્રકાર છે. ૨. દર્શનાવરણીય કર્મ આ કર્મ ગુરખા ચોકીદાર જેવું હોય છે. તે આત્માના મૂળ “અનંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org