________________
જૈનધર્મ
૮. નિર્જરા તત્ત્વ
નિર્જરા એટલે ખરવું. અગાઉ આત્માએ બાંધેલા કર્મોનો અંશે અંશે ક્ષય થાય છે તેને નિર્જરા કહે છે. ચીકણા અને ક્ષણિક કર્મોને ઉખેડવાની વૃત્તિ અને પ્રવૃત્તિને નિર્જરા કહે છે. ઉપવાસ, સ્વાધ્યાય, ધ્યાન, આદિ ૧૨ પ્રકારના તપથી કર્મોની શીધ્ર નિર્જરા થાય છે.
૯. મોક્ષ તત્ત્વ
આત્મા પર લાગેલાં તમામ કર્મોનો સર્વથા અને સંપૂર્ણ ક્ષય થઈ જાય અને આત્મા ફરી કર્મથી કદી બંધાય નહિ તેને “મોક્ષ' કહે છે. કર્મનો સર્વથા ક્ષય થતાં આત્મા પોતાના જ્ઞાન-દર્શનમય સ્વરૂપમાં રહે છે. તેનું નામ “મોક્ષ' છે. આત્મા આ અવસ્થા પ્રાપ્ત કરે છે. ત્યારે તે પરમાત્મા બની જાય છે. પરમાત્મા, સિદ્ધ, બુદ્ધ, મુકત આ બધાં એકાર્યવાચી શબ્દો છે.
સંખ્યાની દ્રષ્ટિએ મુકતાત્મા અનંત છે. મુક્તાત્માનો પુર્નજન્મ નથી હોતો આથી તે અપુનરાવૃત્તિ હોય છે.
મોક્ષ એ આત્માની સહજ અવસ્થા છે. મોક્ષ થતાં દેહ છૂટી જાય છે. રહે છે માત્ર આત્મા અને તેનો સત, ચિત્, આનંદમય સહજ સ્વભાવ. મોક્ષનું સુખ શબ્દાતીત છે. એ માત્ર અનુભૂતિ છે. ગૂંગે કેરી સરકરા જેવું
જ કર્મ
આત્મા પોતે જ પોતાના સુખ-દુખનો કર્તા અને ભોકતા છે. આ સુખ-દુઃખ તેને તેનાં કર્મ અનુસાર મળે છે. આ કર્મને જૈનદર્શન સ્વતંત્ર તત્વ માને છે. તેની ગણના તે પુલમાં કરે છે.
દારૂ પીવાથી માણસ ગાંડો બને છે. કલોરોફોર્મ સૂંઘાડવાથી તે બેભાન બને છે. બેડીથી તે બંધાય છે. દારૂ, કલોરોફોર્મ, બેડી વગેરે પૌદ્ગલિક વસ્તુઓ છે એ જ પ્રમાણે કર્મના સંયોગથી જીવાત્મા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org