________________
જૈનધર્મ
૫. આશ્રવ તત્ત્વ
આશ્રવ એટલે ખેંચાઈ આવવું, વહી આવવું. જયાંથી અને જેના વડે પાપ કર્મો ઢસડાઈ આવીને આત્માને દૂષિત અને દોષિત કરે-બનાવે, તેને આશ્રવ કહે છે.
મન, વચન અને કાયાની અસવૃત્તિ અને પ્રવૃત્તિઓને મુખ્યત્વે આશ્રવ કહેવાય છે. મલિન અને હિંસક વિચારને પણ આશ્રવ કહેવાય છે. તેના ૪૨ પ્રકાર છે.
૬. સંવર તત્વ
આશ્રવના નિરોધને “સંવર' કહે છે. આશ્રવ એટલે કર્મોના આગમનનું દ્વાર, આ ધારને બંધ રાખવાની ક્રિયાને સંવર કહે છે. સંવર એટલે અટકાવવું, રોકવું.
તપ, જપ, ધ્યાન, વ્રત આદિ ધર્મઆરાધનાથી અશુભ કર્મોનો પ્રવાહ આવતો અટકે છે અને આત્મા દૂષિત બનતો બચી જાય છે. ૫૭ પ્રકારના સંવરથી કર્મોના પ્રવાહને ખાળી શકાય છે.
૭. બંધ તત્ત્વ
આત્મા અને કર્મનો આશ્લેષ તેને બંધ' કહે છે. જીવાત્મા કર્મોના પુદગલોને ગ્રહણ કરે છે. પછી તે બંને આત્મા અને કર્મ, દૂધ અને પાણી જેમ એકાકાર થઈ જાય તેને બંધ” કહેવામાં આવે છે. આ પ્રક્રિયાને કર્મ-બંધ' કહે છે.
કર્મ કરતી વખતે જયાં અને જેટલાં મનોભાવ હોય છે તે પ્રમાણે તેવો કર્મ-બંધ થાય છે. તેનું ફળ પણ તે જ પ્રમાણે મળે છે. કર્મબંધ ચાર પ્રકારથી થાય છે. (૧) પ્રતિબંધ (૨) સ્થિતિબંધ (૩) રસબંધ (૪) પ્રદેશબંધ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org