________________
જૈનધર્મ
૭
કાળના આ બધા વિભાગોને ટૂંકમાં ભૂતકાળ, ચાલુ વર્તમાનકાળ અને ભવિષ્યકાળ કહેવામાં આવે છે.
૩. પુણ્યતત્ત્વ
સવૃત્તિ, સવિચાર અને સદાચારને પુરય કહે છે. “શુભકમને પણ પુણ્ય કહે છે. જે નિમિત્તથી પુણ્ય ઉપાર્જન થાય તેને પણ પુણ્ય કહે છે. આવું નિમિત્ત પુણ્ય નવ પ્રકારનું છે. સુપાત્રને-સુયોગ્યને અન્નદાન દેવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. તેને અન્ન પુણ્ય કહે છે. એ પ્રમાણે પાણી, સ્થાન (ધર), શયન સૂવાં-પાથરવાનાં સાધનો), વસ્ત્ર, મન, વચન, કાયા અને નમસ્કાર-આ નવ પુણ્ય છે. વિસ્તારથી તેનાં ૪૨ પ્રકાર છે.
પુણ્ય-કર્મની અસર આત્મા પર પડે છે. તેનાં ફળ સ્વરૂપે જીવાત્માને સુખ, સંપત્તિ, યશ, પ્રતિષ્ઠા, રૂપ, આરોગ્ય, સત્તા વગેરે મળે
પુણ્યની પ્રાપ્તિ માત્ર ધર્મ કર્મથી-શુભ કર્મથી સત્રવૃત્તિથી જ થાય છે. અર્થાત્ ધર્મની આરાધના વિના પુણ્ય નથી થતું.
૪. પાપતત્ત્વ
અસવૃતિ,અસદ્દવિચાર અને અનાચારને પાપ કહે છે. અશુભ કર્મને પણ પાપ કહે છે. જેના કારણે પાપ કર્મ બંધાય તે પાપના કારણો પણ પાપ કહેવાય છે. પાપના કારણ, પાપના સ્થાન-ઘર ૧૮ છે. હિંસા, જાઠ, ચોરી, મૈથુન, સંગ્રહ, બેધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કકળાટ, જુઠો આરોપ, ચાડીયુગલી, રાતિઅરતિ, (પાપ કર્મમાં રૂચિ અને પુર્ણય કર્મમાં અરૂચિ) ભપૂર્વક જુઠ અને મિથ્યાત્વશલ્ય (આત્મા, મોલ, ધર્મમાં શંકા) વિસ્તારથી પાપના ૮૨ પ્રકાર છે.
પાપની પણ આત્મા પર ચોકકસ અસર પડે છે. પાપના સેવનથી તેના ફળ સ્વરૂપે દુઃખ, ગરીબી, બિમારી, બદનામી, કુરૂપતા, ગુલામી વગેરે મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org