SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ જૈનધર્મ કરવાથી. ૫. જ્ઞાનીની ઇર્ષા અને તેમનો દેષ કરવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. જ્ઞાનાવરણીય કર્મના બંધનમાંથી મુકત થવા માટે જીવાત્માએ જ્ઞાન અને જ્ઞાનીનો આદર કરવો જોઈએ, તેમનો ઉપકાર માનવો જોઈએ. જાતે જ્ઞાનાભ્યાસ કરવો જોઈએ, જ્ઞાનાભ્યાસ કરનારને જ્ઞાનના સાધનો આપી તેમને પ્રોત્સાહન આપવું જોઈએ. જ્ઞાન અને જ્ઞાનીની પૂજા કરવાથી આ કર્મનો ક્ષય થાય છે. ૨. જીવાત્મા દર્શનાવરણીય કર્મ છ પ્રકારે બાંધે છેઃ સદ્દગુણ અને ગુણીજનોની નિંદા કરવાથી, તે બંનેનો તિરસ્કાર અને અપમાન કરવાથી, ગુણીજનોનો ઉપકાર ભૂલી જવાથી, ગુણીજનોની ઈર્ષ્યા અને કેષ કરવાથી, વીતરાગની વાણીમાં શંકા કરવાથી દર્શનાવરણીય કર્મ બંધાય છે. | દર્શનાવરણીય કર્મના બંધનમાંથી મુકત થવા માટે જીવાત્માએ સગુણ અને ગુણીજનોનો આદર કરવો જોઈએ. ગુણીજનોના ગુણ પ્રત્યે અનુરાગ રાખવો જોઈએ. ગુણાનુરાગી બનવું જોઈએ. ગુણીજનોની સેવા, ભકિત કરવી જોઈએ. જિનેશ્વરની આજ્ઞા પાળવી જોઇએ, પરમાત્માની ભકિત કરવી જોઈએ. આમ કરવાથી આ કર્મનો ક્ષય થાય છે. - ૩. જીવાત્મા મોહનીય કર્મ છ પ્રકારે બાંધે છેઃ લાયઝાળ ગુસ્સો (ક્રોધ) કરવાથી, ખૂબ જ અભિમાન ઘમંડ રાખવાથી, કૂડકપટ-માયા કરવાથી, તેમજ વ્યભિચાર કરવાથી જીવાત્મા મોહનીય કર્મ બાંધે છે. મોહનીય કર્મના બંધનમાંથી મુકત થવા માટે જીવાત્માએ તીવ્ર ક્રોધ, તીવ્ર માન, તીવ્ર માયા, તીવ્ર લોભ, ન કરવા જોઈએ ધર્મના બહાના હેઠળ અધર્મનું સેવન ન કરવું જોઈએ. દરેક બાબતમાં સંયમ રાખવો જોઈએ. સદાચારી બનવું જોઇએ. - ૪. જીવાત્મા અંતરાય કર્મ પાંચ પ્રકારે બાંધે છે દાન આપવામાં વિનો ઉભાં કરવાથી, કોઈને મળતો લાભ ન લેવા દેવાથી, ખાવા-પીવામાં હરકતો ઉભી કરવાથી, વસ્ત્રો વગેરે વસ્તુઓનો ઉપભોગ કરતા અટકાવવાથી, ધર્મ ધ્યાન કે ધર્મની આરાધના કરવામાં આડખીલી બનવાથી અંતરય કર્મ બંધાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004537
Book TitleJain Dharma
Original Sutra AuthorN/A
AuthorBhadrabahuvijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1990
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, P000, & P999
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy