________________
જૈનધર્મ
ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય છે, જયાં ગતિ અને સ્થિતિ છે. તેને ‘લોકાકાશ’ કહે છે. જયાં આ બન્નેનું અસ્તિત્વ નથી, તેને ‘અલોકાકાશ’ કહે છે. ત્યાં કોઈ પુદ્ગલ કે પરમાણુ નથી. ત્યાં છેઃ માત્ર અવકાશ જ
અવકાશ.
૪. પુદ્ગલાસ્તિકાય
જે દ્રવ્ય સ્પર્શ, રસ, ગંધ અને વર્ણથી યુક્ત છે, તે પુદ્ગલ છે. તે અખંડ દ્રવ્ય નથી. તેનું સૌથી નાનું રૂપ પરમાણુ છે અને સૌથી મોટું રૂપ વિશ્વવ્યાપી અચિત મહાસ્કન્ધ. બનવું [પૂરણ અને બગડવું [ગલન] એ તેનો સ્વભાવ છે.
૯૫
આજનું વિજ્ઞાન જેને matter-મેટર કહે છે, અન્ય દર્શનો તેને ભૌતિક તત્ત્વ કહે છે, તેને જૈન દર્શને ‘પુદ્ગલ’ નામ આપ્યું છે. પુદ્ગલના સૂક્ષ્માતિસૂક્ષ્મ ભાગને પરમાણુ’ કહે છે. જૈન પરિભાષા અનુસાર અછેદ, અભેદ્ય, અગ્રાહ્ય અને નિર્વિભાગી પુદ્ગલને પરમાણુ” કહેવામાં આવે છે. વિવિધ દર્શનો અને આજના ભૌતિક વિજ્ઞાનનો સમગ્રતયા અભ્યાસ કરતાં જરૂર કહી શકાય કે જૈન દર્શને સર્વ પ્રથમ પરમાણુવાદના સિદ્ધાન્તને જન્મ આપ્યો છે.
પુદગલ અને પરમાણુ અંગે જૈન દર્શને તલસ્પર્શી ચિંતન કર્યુ છે, જૈન દર્શને સર્વ પ્રથમ શબ્દને પુદ્ગલ કહ્યો. એટલું જ નહિ તેની ગતિ, વ્યાપ, ઉત્પત્તિ આદિ વિવિધ બાબતોની પણ સમજ આપી. રેડીયો, ટેલીવીઝન, ટેલીફોન, વાયરલેસ વગેરે શબ્દનો જન્મ પણ નહતો થયો તે અગાઉ યુગો પહેલાં જૈન દર્શને કહ્યું કે સુધોષા ઘંટાનો શબ્દ-અવાજ અસંખ્ય માઇલ દૂર રહેલ ઘંટોમાં પ્રતિધ્વનિત થાય છે. શબ્દ ક્ષણાર્ધમાં લોકમાં વ્યાપી જાય છે, આ વાત પણ હજારો વરસ પહેલાં જૈન દર્શને કહી/કરી હતી.
જૈન દર્શનના મતાનુસાર આ સમગ્ર દ્રશ્ય સંસાર પૌદ્ગલિક છે. તાત્પર્ય-દ્રષ્ટિએ વિચારીએ તો આ જગત જીવ અને પરમાણુઓના વિભિન્ન સંયોગોનું જ પરિણામ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org