SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ જૈનધર્મ ધર્માસ્તિકાય છે. ગતિનું તત્ત્વ સમગ્ર લોકમાં વ્યાપ્ત છે. ધમસ્તિકાયની મદદથી જ જડ અને ચેતન પદાર્થોમાં ગતિ થાય છે. સૂક્ષ્માતિસૂમ સ્પંદન પણ આ ધર્માસ્તિકાયથી થાય છે. જે કંઈ ચલ છે, તે બધાનું સહાયક ધર્માસ્તિકાય છે. ગૌતમસ્વામીએ પૂછયું, હે ભગવં! ધર્માસ્તિકાય [ગતિ સહાયક તત્ત્વ થી જીવોને શું લાભ થાય છે? ભગવાન મહાવીરે કહ્યું: હે ગૌતમ! ગતિની સહાય ન હોય તો કોણ આવે અને કોણ જાય ? શબ્દના તરંગો કેવી રીતે ફેલાય ? આંખ કેવી રીતે ખુલે ? કોણ મનન કરે ? કોણ બોલે ? કોણ હાલ-ચાલે ? તો તો આ વિશ્ર્વ અચલ જ હોત. જે ચલ છે તે દરેકનું આલંબન ધર્માસ્તિકાય જ છે.” ૨. અધર્માસ્તિકાય સ્થાનમાં [ગતિ-નિવૃત્તિમાં જીવ અને પુદગલોની સ્થિતિમાં સહાયક બનતા દ્રવ્યને અધર્માસ્તિકાય કહે છે. સ્થિર થવામાં મદદગાર બનતા દ્રવ્યને અધર્માસ્તિકાય કહે છે. ગૌતમસ્વામીએ પૂછયું : હે ભગવન્! અધર્માસ્તિકાયથી જીવોને શું લાભ થાય છે ?” ભગવાન મહાવીરે કહ્યું: “હે ગૌતમ ! સ્થિતિને સહારો ન હોત તો કોણ ઉભું રહી શકત ? કોણ બેસત ? કોણ સૂવત ? કોણ મનને એકાગ્ર કરી શકત ? મૌન કોણ કરત? કોણ નિસ્પન્દ બનત ? તો તો આ વિશ્ર્વ ચલ જ હોત. જે સ્થિર છે તે દરેકનું આલંબન અધર્માસ્તિકાય [સ્થિતિસહાયક તત્ત્વ જ છે.' ૩. આકાશાસ્તિકાય રહેવા માટેની જગ્યા-અવકાશ આપનાર દ્રવ્યને આકાશાસ્તિકાય કહે છે. આકાશના બે ભેદ છેઃ લોકાકાશ અને અલોકાકાશ. જયાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004537
Book TitleJain Dharma
Original Sutra AuthorN/A
AuthorBhadrabahuvijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1990
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, P000, & P999
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy