________________
૯૪
જૈનધર્મ
ધર્માસ્તિકાય છે. ગતિનું તત્ત્વ સમગ્ર લોકમાં વ્યાપ્ત છે. ધમસ્તિકાયની મદદથી જ જડ અને ચેતન પદાર્થોમાં ગતિ થાય છે. સૂક્ષ્માતિસૂમ સ્પંદન પણ આ ધર્માસ્તિકાયથી થાય છે. જે કંઈ ચલ છે, તે બધાનું સહાયક ધર્માસ્તિકાય છે.
ગૌતમસ્વામીએ પૂછયું, હે ભગવં! ધર્માસ્તિકાય [ગતિ સહાયક તત્ત્વ થી જીવોને શું લાભ થાય છે?
ભગવાન મહાવીરે કહ્યું:
હે ગૌતમ! ગતિની સહાય ન હોય તો કોણ આવે અને કોણ જાય ? શબ્દના તરંગો કેવી રીતે ફેલાય ? આંખ કેવી રીતે ખુલે ? કોણ મનન કરે ? કોણ બોલે ? કોણ હાલ-ચાલે ? તો તો આ વિશ્ર્વ અચલ જ હોત. જે ચલ છે તે દરેકનું આલંબન ધર્માસ્તિકાય જ છે.”
૨. અધર્માસ્તિકાય
સ્થાનમાં [ગતિ-નિવૃત્તિમાં જીવ અને પુદગલોની સ્થિતિમાં સહાયક બનતા દ્રવ્યને અધર્માસ્તિકાય કહે છે. સ્થિર થવામાં મદદગાર બનતા દ્રવ્યને અધર્માસ્તિકાય કહે છે.
ગૌતમસ્વામીએ પૂછયું : હે ભગવન્! અધર્માસ્તિકાયથી જીવોને શું લાભ થાય છે ?”
ભગવાન મહાવીરે કહ્યું:
“હે ગૌતમ ! સ્થિતિને સહારો ન હોત તો કોણ ઉભું રહી શકત ? કોણ બેસત ? કોણ સૂવત ? કોણ મનને એકાગ્ર કરી શકત ? મૌન કોણ કરત? કોણ નિસ્પન્દ બનત ? તો તો આ વિશ્ર્વ ચલ જ હોત. જે સ્થિર છે તે દરેકનું આલંબન અધર્માસ્તિકાય [સ્થિતિસહાયક તત્ત્વ જ છે.'
૩. આકાશાસ્તિકાય
રહેવા માટેની જગ્યા-અવકાશ આપનાર દ્રવ્યને આકાશાસ્તિકાય કહે છે.
આકાશના બે ભેદ છેઃ લોકાકાશ અને અલોકાકાશ. જયાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org