________________
જૈનધર્મ
આમ તેને કોઇ પ્રદેશનો સમૂહ નથી, તેથી અસ્તિકાયમાં તેની ગણના નથી થતી.
જીવ પણ અસ્તિકાય છે. તે અસંખ્યાતા પ્રદેશોના સમુહુરૂપ છે. આમ જીવાસ્તિકાય સહિત ઉપરના પાંચ અસ્તિકાય અને ‘કાળ’ – આ છ ને દ્રવ્ય કહે છે. જૈન દર્શનમાં આ છ ષદ્રવ્ય તરીકે ખ્યાત છે. અને આ છ દ્રવ્યનું વિશ્વ બનેલું છે.
૯૩
છ દ્રવ્યમાંથી જીવાસ્તિકાય અંગે જીવ તત્ત્વમાં વિચારણા કરી. હવે બાકીના પાંચ દ્રવ્યની વિચારણા કરીએ.
તમામ દર્શનોમાં માત્ર જૈનદર્શને ધર્મ અને અધર્મની ગણના દ્રવ્યમાં કરી છે. આમ તો ધર્મ એટલે શુભ પ્રવૃત્તિ અને અધર્મ એટલે અશુભ પ્રવૃત્તિ- આવો અર્થ સાર્વત્રિક સ્વીકારાયો છે. જૈન દર્શન પણ આ અર્થને સ્વીકારે છે. સાથોસાથ જૈન દર્શન વૈજ્ઞાનિક અર્થથી ધર્મ અને અધર્મને અલગ અસ્મિતા પણ આપે છે.
પ્રસિદ્ધ વિજ્ઞાની ન્યુટને સર્વ પ્રથમ ગતિ-તત્ત્વ medium of motion નો સ્વીકાર કર્યો. ત્યાર બાદ વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇને ગતિ-તત્ત્વને સાબિત ને સ્થાપિત કર્યું. વિજ્ઞાનનો દરેક વિદ્યાર્થી ‘ઇથર’ શબ્દથી સુપરિચિત છે.આ ‘ઇથર’ ગતિતત્ત્વ છે.
વિજ્ઞાનના આવિષ્કાર અગાઉ, વિના પ્રયોગશાળાએ જિનેશ્વર પરમાત્માઓએ પોતાના વિશિષ્ટ જ્ઞાનથી હજારો વરસ પહેલાં ગતિ-તત્ત્વની ઘોષણા કરી. શ્રમણ ભગવાન મહાવીરે કહ્યું: જેટલા પણ ચલ ભાવ છે, સૂક્ષ્માતિસૂક્ષ્મ સ્પંદન માત્ર છે તે બધાં ધર્મની સહાયતાથી પ્રવૃત્ત થાય છે.' આમ કહીને ભગવાને બતાવ્યું-સમજાવ્યું કે ધર્મ ગતિ-સહાયક છે અને અધર્મ સ્થિતિ-સહાયક છે. ગતિ અને સ્થિતિ બંને સાપેક્ષ છે. એકના અસ્તિત્વથી બીજાનું અસ્તિત્વ અત્યન્ત અપેક્ષિત છે. ૧. ધર્માસ્તિકાય
ગતિક્રિયામાં પ્રવૃત્ત થતા જીવ અને પુદ્ગલોની ગતિમાં સહાયક થતા દ્રવ્યને ધર્માસ્તિકાય' કહે છે. વિજ્ઞાનસંમત ‘ઈથર' જૈન દર્શન માન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org