________________
૯૨
૨. અજીવ
જીવનું પ્રતિપક્ષી તત્ત્વ તે અજીવ તત્ત્વ છે. મતલબ કે જેનામાં ચેતના નથી. જેનો ન જન્મ છે, ન મૃત્યુ છે, જે નથી કર્તા, નથી ભોકતા. જેનામાં જ્ઞાન-દર્શન, ઉપયોગ કશું જ નથી તે અજીવ છે, જડ છે, અચેતન છે.
જૈનધર્મ
જૈન દર્શન સૃષ્ટિના તમામ અજીવ પદાર્થોને પાંચ પ્રકારમાં વિભકત કરે છેઃ ૧. ધર્માસ્તિકાય, ૨. અધર્માસ્તિકાય, ૩, આકાશાસ્તિકાય, ૪. પુદ્ગલાસ્તિકાય અને ૫. કાળ.
અજીવ તત્ત્વને સુપેરે સમજવા માટે પ્રથમ મુખ્ય ચાર શબ્દો સમજવા જરૂરી છેઃ
૧. સ્કંધ : વસ્તુનો અખંડ ભાગ.
૨. દેશ : સ્કંધ સાથે સંલગ્ન કેટલોક ભાગ.
૩. પ્રદેશ : સ્કંધ સાથે સંલગ્ન કેટલોક પરંતુ તોડવાથી છૂટો ન પડે તે ભાગ.
૪. પરમાણુ : સ્કંધમાંથી છૂટો પડેલો પણ જેને જોઈ ન શકાય તેવો સૂક્ષ્મ પુદ્ગલ. આ અવિભાજય અને સૂક્ષ્માતિ-સૂક્ષ્મ હોય છે.
અજીવ તત્ત્વના પાંચ પ્રકારના ચાર અસ્તિકાય છે. બે શબ્દ છે: અસ્તિ અને કાય, અસ્તિ એટલે પ્રદેશ અને કાય એટલે સમૂહ. પ્રદેશોનો સમૂહ એટલે અસ્તિકાય. સ્કંધ, દેશ અને પ્રદેશ આ ત્રણે હિસ્સાઓ પાંચેયમાં સમાન છે. પરંતુ પુદ્ગલાસ્તિકાયમાં એક પરમાણુ વિશેષ હોય છે. બીજા અસ્તિકાયમાં પરમાણુ અલગ નથી કરી શકાતો.
ધર્મ, અધર્મ, આકાશ અને આત્માના પ્રદેશો અવિભાજય છે. આ બધાં દ્રવ્યો અખંડ દ્રવ્યાત્મક મનાયા છે.
કાળને પ્રદેશોનો સમૂહ નથી હોતો. કાળ ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં વિભકત છે. ભૂતકાળનું કોઇ અસ્તિત્વ નથી. ભવિષ્યકાળ હજી હવે આવનાર છે. વર્તમાન કાળ એક ક્ષણ કે ક્ષણાર્ધ સમયરૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org