________________
આરાધકને અભિવાદન
સલામ, તમારા તપશ્ચર્યાથી તરબોળવ્યક્તિત્વને અભિવાદન, તમારા આરાધનાથી ઓળઘોળ અસ્તિત્વને!
તમારી સોહમણી ત્રિદિવસીય સાધનાનો આજે સુંદર મજાનો દિવસ છે ! પરમાત્મા શંખેશ્વર પાર્શ્વનાથની આરાધના એટલે જીવનનું એક મહામૂલું સંભારણું!ભગવંત પાર્શ્વનાથ એટલે મંત્રોની દુનિયાના “માઈલ સ્ટોન’! એમની આસપાસ મંત્ર - ઉપાસનાનાં એટલા તો દીવડા જલેલા છે કે એમાંથી એકાદ ઉપાસનાનો દીવડો જો આપણે જીવનમાં જલાવી દઈએ તો જીવતર ઝળહળી ઉઠે અજવાળાના ધોધથી! તમને ખબર છે?જ્યારે તમે જાપની સાધનામાં ડૂબી જાવ છો. ત્યારે તમારી આસપાસ એક ઈલેક્ટ્રો ડાયનેમિક ફીલ્ડ’ રચાઈ જાય છે. તમારી ઈદગિર્દના અણુઓમાં એક નવી જાતની ઉર્જાનો આવિર્ભાવ થાય છે.... અને બીજી તરફ તમારી ભીતરમાં ગુણાત્મક પરિવર્તન (Qualitative Transformation) આકાર લે છે. અફકોર્સ....તમારું વલણ એ માટે વિધેયાત્મક Positive હોવું જરૂરી છે! મંત્રોમાં એ તાકત છે કે જે
તમારા વ્યક્તિત્વને બદલી નાંખેતમારા અસ્તિત્વને Sો બદલી નાંખે!પણ સબૂરી સાધનાની ક્ષણોમાં સાવધાન
વિચારપંખી - ૮૬
El sosteninternational
For Private & Personal Use Only
www.jainelibrary.org