________________
અટ્ટમના સાધકને સંદેશ!
આજે તમે ત્રણ દિવસની મહાન સાધનાના શ્રીગણેશ માંડ્યા છે ! કેટલા ખુશનસીબ છો તમે ? પરમાત્માની કૃપાના ઘેરાં ઘેરાં વાદળાં તમારી આત્મભૂમિ પર મન મૂકીને વરસી પડશે ! એક વાત કહું? તમને ગમશે? - તનનો શણગાર તપથી કરશો ત્રણ દિવસ માટે ! જીવનને જાપ અને ધ્યાનથી ઝળહળતું કરશો..... તો સાથો સાથ.....
૦ હૈયાને હેતથી છલછલ બનાવી દેજો........ ૦ મનને મૈત્રીથી મઘમઘતું બનાવી દેજો...... ૦ અંતરને આનંદથી ઓળઘોળ કરી દેજો..... ૦ આંખોમાં નેહના મીઠા નીર ભરી દેજો..... ૦ પ્રાણોમાં પરમાત્મપ્રેમના પુષ્પો ખીલવજો !
એવી આરાધના | સાધના કરજો કે આ ત્રણ દિવસોમાં તમે પ્રગટાવેલા ઉપાસનાના દીવડા દિવસો સુધી તમારા જીવનને પરમાત્મા શંખેશ્વર પાર્શ્વનાથની અચિંત્ય કૃપાના તીરે લઈ જાય !
આ ત્રણ દિવસો બને તો મૌનના મહાસાગરમાં ખોવાઈ જજો!
વિચારપંખી-૮૪
Jain
at eirational
For Private & Personal Use Only
www.jainelibrary.org