SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ અટ્ટમના સાધકને સંદેશ! આજે તમે ત્રણ દિવસની મહાન સાધનાના શ્રીગણેશ માંડ્યા છે ! કેટલા ખુશનસીબ છો તમે ? પરમાત્માની કૃપાના ઘેરાં ઘેરાં વાદળાં તમારી આત્મભૂમિ પર મન મૂકીને વરસી પડશે ! એક વાત કહું? તમને ગમશે? - તનનો શણગાર તપથી કરશો ત્રણ દિવસ માટે ! જીવનને જાપ અને ધ્યાનથી ઝળહળતું કરશો..... તો સાથો સાથ..... ૦ હૈયાને હેતથી છલછલ બનાવી દેજો........ ૦ મનને મૈત્રીથી મઘમઘતું બનાવી દેજો...... ૦ અંતરને આનંદથી ઓળઘોળ કરી દેજો..... ૦ આંખોમાં નેહના મીઠા નીર ભરી દેજો..... ૦ પ્રાણોમાં પરમાત્મપ્રેમના પુષ્પો ખીલવજો ! એવી આરાધના | સાધના કરજો કે આ ત્રણ દિવસોમાં તમે પ્રગટાવેલા ઉપાસનાના દીવડા દિવસો સુધી તમારા જીવનને પરમાત્મા શંખેશ્વર પાર્શ્વનાથની અચિંત્ય કૃપાના તીરે લઈ જાય ! આ ત્રણ દિવસો બને તો મૌનના મહાસાગરમાં ખોવાઈ જજો! વિચારપંખી-૮૪ Jain at eirational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004536
Book TitleVicharpankhi
Original Sutra AuthorN/A
AuthorSnehdip
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1992
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy