________________
બાહરી દિલાસાઓ ભીતરના ખાલીખમપણાને ભરવા નાકામ નીવડે છે..... અને એક ઘેરી ઉદાસી આખા અસ્તિત્વને ઘેરી વળે છે !
ત્યારે, તમે મૃત્યુની યથાર્થતાને અને અનિવાર્યતાને વિચારી શકશો ખરા? જીવન જીવતાં વિચારતા રહે જો! સાથે સાથે આત્માની અમરતાને પણ વાગોળતા રહેજો!
કારણ કે – ભૂમિથી, નભથી, નરકથી સ્વર્ગથીએ દૂર હોય ક્યારે માનવી, પણ મોતથી મજબૂર માટી છે બધું જ આ મૃત્યુની રાજધાનીમાં એક શાશ્વત છે ભીતરી સ્નેહનું સિંદૂર.”
આ સિંદૂર તમે સાચવી રાખજો!
વિચારપંખી - ૮૩
Jain Education International
For Private & Personal Use Only