________________
હાથમાં છે તોય કાબૂ બહાર છે! હસ્તરેખાઓનો કેવો ભાર છે!
અલબત્ જ્યોતિષ વિજ્ઞાન તરીકે સત્યની સમાંતર ઊભું રહે છે. પણ જ્યારે જીવનની સાથે એના ચેડા ચાલુ થઈ જાય પછી માનવી ઝંખવાઈ જાય....એની તમન્નાઓ આડા રસ્તે દોરવાઈ જાય અને ભઈલા, તમન્નાઓના તીરે ઊભા રહીને તરફડિયા મારનારા તમારા-મારા જેવા લોકો તમાશો બની રહે છે.
આંખ વગર ઉડતું પંખી બહુ જલ્દી અકસ્માતનો ભોગ બને છે ! જ્યોતિષની જાળ કરોળીયાની જાળ જેવી છે....૨ચનારને પોતાને જ ગૂંચવી નાંખે છે ! કેોળીયો પોતે જ શિકાર બની જાય છે પોતાની જાળનો! ભૂલેચૂકેય આલતૂ-ફાલતૂ ફુટપાથિયા જ્યોતિષના ફંદામાં ફસાતા નહીં ! કારણ કે ઃ
ન શોધો ભાગ્યની રેખા તમે કોરી હથેળીમાં ! સીડી પત્થરની ક્યાંથી હોય પત્તાની હવેલીમાં તમન્નાઓને પાંખો હોય છે, આંખો નથી હોતી ઉડે છે ટોડલેથી ખાય છે પછડાટ ડેલીમાં’
✰✰✰
વિચાર પંખી - ૫૩
Jain Education International
For Private & Personal Use Only
wwww.dainelibi.org