________________
Jain Education International
તમને કોણ છેતરે છે !
ગત અને અનાગતની વચ્ચે સોયની અણી જેટલો વર્તમાન આપણી પાસે હોય છે. વર્તમાન ક્ષણની વાત કરીએ છીએ ત્યાં તો એ ભૂતકાળમાં તબદીલ થઈ જાય છે...ભૂતકાળ પ્રત્યેક પળે વધુ ને વધુ સમૃદ્ધ બનતો જાયછે,જ્યારે વર્તમાનદરેકપળેપીગળેછે..... ઓગળે છે. પળનીખરતી પાંદડીઓ સાથે કાળનું કુસુમ પોતાની નજાકત પ્રગટ કરતું રહ્યું છે !
સમય કેટલો બધો છેતરામણો છે ! સરી જવું, વહી જવું, સ૨કી જવું એ જ તો સમયનો સ્વભાવ છે! આપણે સ્વસ્થ બનીને વહી જતા સમયને નિરખી નથી શકતા......માટે તો સમય આપણને છેતરી જાય છે.
સમયના હાથે વારે ઘડીએ છેતરાતા આપણે પાછા ફરિયાદ કરીએ છીએ કે સમય નથી મળતો ! પણ દોસ્ત! સમયને કોણ મળે છે? છે તમારીતૈયારીસમયને મળવાની?
વિચારપંખી - ૨૦
For Private & Personal Use Only
✰✰✰
www.jainelibrary.org