________________
Haste makes waste
ઉતાવળ કયારેક વણમાંગી આફત નોંતરે છે. જલ્ડબાજી કયારેક જલદ બનીને જિંદગીને જલાવી દે છે! ઉતાવળા ન બનો. શાંતિથી વિચારીને ડગલું ભરો! જિંદગી કિંમતી છે! બહુમૂલ્યવાન છે! ઉતાવળે એવા કોઈ કદમ ના ભરો કે જેથી જીવન નાહકનું ઝંઝામાં ઝીંકાઈને ચીંથરેહાલ બની જાય!
મનમળ્યું છે વિચારવા માટે બુદ્ધિમળી છે નિરાંતે નિર્ણય કરવા માટે ! વૈર્ય બહુ જરૂરી છે જીવનમાં ! અધીરતા જીવનને કાર્યક્ષમ નથી બનવા દેતી!
ઉતાવળ કાર્યને આરંભાવી દે ખરી પણ પૂરતા વિચાર્યા વગરની શરૂઆત પાછળથી કાર્યને કથળાવી દેછે,બગાડી દે છે. કારણકે,ઉતાવળની સાથે હતાશાનો મૈત્રી-કરાર છે. અલબત્, કયારેક ઉતાવળ આવશ્યક પણ બને.....છતાંયે હમેશ માટે તો નહીં જ!
માત્ર પ્રવૃત્તિની પળનો નહીં પણ સાથે સાથે પરિણામની ક્ષણનો પણ વિચાર કરીને પગલું ઉપાડો!
જે લોકો વિચારીને...સમજીને કદમ ભરે છે. એમને નિષ્ફળતા નંદવી નથી શકતી. બલ્ક સફળતા એમના અસ્તિત્વને વધાવે છે.
યહૂદી ધર્મગ્રન્થ “તાલમુદ’ નું એક વાકય યાદ રાખવા જેવું છે. મીઠું, આથો અને ઉતાવળ ઓછા સારા!”
(
)
!
વિચારપંખી - ૧૫
Jain Education International
For Private & Personal Use Only
inelibrary.org