________________
Jain Education refrational
કેવા બનશો?
ગુલાબ અને ધંતૂરો ....
બંનેઉગે જમીનમાંથી....છતાંયે બન્નેની જીવનની રીતમાં મોટો તફાવત રહેલો હોય છે. બંનેને એ જમાટી, એકજ પાણી મળે છે, એક જ જાતનું હવામાનમળેછે... છતા પણ ગુલાબ શતદલ પાંખડીએ ખીલી ઉઠશે અને ધંતૂરો અલબત્ ઉઘડશે...પણ એનો ઉઘાડ કોઈના ઉરને ઉલ્લાસ નહીં બન્ને ! ગુલાબની એક એક પાંખડી કોમળતા વેરે છે....સુગંધને ફોરે છે...ગુલાબ જ્યાં હોય છે ત્યાં ખુશ્બોની દુનિયા રચાઈ જાય છે....માનવીના દિલ અને દિમાગ તરબતર બની જાય છે....જ્યારે ધંતૂરાની સામે જોવામાટે કોઈનીય પાંપણ તૈયાર નહીં થાય !
ગુલાબજેવાબનો! દોસ્ત, ગુલાબનું પોતાનું આગવું વ્યક્તિત્વ છે....અવનવું અસ્તિત્વ છે.... ગુલાબની પાસે જના૨ મહેંક માણે છે.... તમારી પાસે આવનાર તમારા ગુણોની સુગંધથી સભર બને એવું વ્યક્તિત્વ વિકસાવો.
‘ગુલાબનો કોઈ જવાબ નથી ! ધંતૂરાનો કોઈને ખ્વાબ નથી !’
વિચારપંખી - ૧૪
For Private & Personal Use Only
www.jainelibrary.org