________________
વિચારો...
પોતાની જાત પાસેથી કામ લેવા માટે બુદ્ધિનો - દિમાગનો ઉપયોગ કરવો જોઈએ. પણ બીજા પાસેથી કામ લેવા માટે હૃદયનો....હૃદયમાં રહેલી લાગણીઓનો સાથ લેવો એ જ ઉચિત છે.
કટુ શબ્દોના કાંટા કે અળખામણી વાતોના બાવળ તો આપણી જીભ પર જલ્દી ઉગી નીકળે છે. પણ મીઠાં શબ્દોનાં ફૂલો તો માવજત કરીને ખીલવવા પડે
બીજા કોઈનું સારું સાંભળે ત્યારે જે માણસ શંકા અને સંદેહ વ્યક્ત કરે..... અને બીજાનું ખરાબ કે બુરું સાંભળીને જે માણસ એ માની લે. એવા માણસોથી સાવધાન રહેવા જેવું છે. જે વિચારે ઓછું તે બોલ વધુ...... જે વિચારે વધારે તે બોલે થોડું..... વિચારશક્તિને
વધારો વચનશકિત આપોઆપ ખીલી ઉઠશે.
વિચારપંખી - ૧૮૦
હn
a
cation International
For Private & Personal Use Only
www.jainelibrary.org