________________
સરળ બનો.
બીજાઓ સમક્ષ અંચળો ઓઢીને વ્યવહાર કરવાની આપણને આદત પડી ગઈ છે. એ આદત જોવધુને વધુ સતત - સખત બનતી જશે તો કદાય આપણે આપણી જાત સમક્ષ પણ નિર્દભ અને નિખાલસ નહીં બની શકીએ !
જે માણસ જાત સાથે પણ નિષ્કપટ ના રહી શકે એ માણસનું અંતઃકરણ દૂષિત અને દોષિત જ રહેશે.
એક મજાની ફ્રેન્ચ કહેવત છેઃ નિષ્કલંક-નિખાલસ અંતરાત્મા જેવું મુલાયમ ઓશીકું એકે નથી.” નિખાલસ બનો. સાલસ બનો. દંભતો દાવાનળ છે જીવનને જલાવીને રાખ બનાવી દેશે! દંભથી બચો.
વિચારપંખી - ૧૭૯
Jain Education International
For Private & Personal Use Only