________________
By Jain Education International
ગુસ્સો કેમ આવે છે ?
આપણા જ માપદંડથી બીજાને જ્યાં સુધી આપણે માપતા રહીશું.....આપણી જ ફુટપટ્ટીથી બધાનું મૂલ્યાંકનકરતા રહીશું....આપણીદોરેલી સીમાઓમાં જ્યાં સુધી બીજાને બાંધવાની કોશિશ કર્યા કરીશું.... આપણે બધાના ન્યાયાધીશબનીનેન્યાય તોળવાની કોશિશ કરશું....
ત્યા સુધી ક્રોધ આવ્યા જ ક૨શે ! આમાં દોષ આપણો જ છે. બીજાઓનો નહીં. આપણને હમેશા બીજા પાસેથી અનુકૂળ વર્તનની સખત અપેક્ષા રહે છે....એ અપેક્ષા ન સંતોષાય ત્યારે ગુસ્સો - ચીડ - નારાજગીના ભાવો પેદા થાય છે.
ક્ષણિક અસંતુલન આપણા સમગ્ર વ્યક્તિત્વ પર ઘેરી અસર નાંખે છે. અસંતુલિત વ્યક્તિત્વ પ્રજ્ઞા અને સંવેદનશીલતાને શોષી લે છે.
જ્યાં સુધી અહં ચેતનાના આયામો નષ્ટ નહીં થાય ત્યા સંબધોમાં જીવતા અહંકારના કારણે અસંતુલન રહેશે જ.
વિચારપંખી - ૧૭૮
For Private & Personal Use Only
www.jainelibrary.org