________________
હ
)
સ્ટ
7
જીવન સંદેશ
અલખના આરાધક ગોરખનાથ ગાય છે? D મનમેં રહિણા, ભેદન કહિણા,
બોલીબા અમૃતવાણી આગલા અગ્નિ હોઈબા અવધુ,
આપણ હોઈબા પાણી! મનની વાત મનમાં રાખો...જાહેર ના કરો. બોલો તો મીઠું-મધ ઝરતું.....કદાચ સામેનો માણસ ધખેલો અંગારો બનીને દઝાડે તો આપણે શીળા પાણી થઈને એને શાંત કરી દેવો!
ગોરખ કહે સુણહુરે અવધુ, જગમેં ઐસે રહિણા આર્ષદેખિબા, કાનૈ સુણિબા, મુખતે કછુ ન કહિણા...
ગોરખનાથ સાદ દે છે....અવધુ... આતમ | દુનિયામાં રહેવાની કળા શીખી લે...દુનિયાદારીમાં રહીને પણ દુખાવું કે દુભાવું નહીં....એ માટે આંખે જોવું....ભલે, કાનથી સાંભળવું ખરું પણ....મોઢેથી બોલવાનું નહી ! જોઈએ-સાંભળીએ તેટલું કહેવાનું નહીં! I યે જગ હૈ કાંટે કી વાડી, દેવી દેવી પદ ધરણા
આ દુનિયા તો કાંટાની વાડ જેવી વાત છે....માટે જોઈ જોઈને પગ મૂકવાનો....બહુ સમજી વિચારીને જગતમાં જીવવું!
છે
વિચારપંખી - ૧૨
C
Jain Education international
For Private & Personal Use Only
www.jainelibrary.org