________________
મંઝિલ શોધે મુસાફરને...
ચતુર્દશી... અને ચાર મહિનાના ચાતુર્માસની ચહલપહલ ભરી પૂર્ણાહુતિ! જો કે કયાં કશું પૂર્ણ થાય છે?.એક સંપૂર્ણતા અન્ય અપૂર્ણતાને ઉજાગર કરે છે. જીવન તો ચાલ્યા જ કરે છે. સમયના વિભાગો માનવજાતે રચેલા છે. કાળના પ્રવાહમાં તો એકસરખી ગતિ છે!
આજના દિવસને વૈકુંઠ ચતુર્દશી પણ કહેવાય છે. જી હાં જો ચાર મહિના આરાધના... ઉપાસના.. સાધનાના સહવાસમાં વીતાવ્યા હશે તો ચોકકસ, વૈકુંઠ આપણી પાસે સાવ સમીપમાં છે...!વૈકુંઠ..જેમા કોઈ કુંઠા નહીં... એ જ વૈકુંઠ! એ વૈકુંઠ પણ અહીં ઉતારી શકાય છે...! આપણું જીવન જ વૈકુંઠ બની જાય, જો કુંઠાઓની કારમી કાગારોળથી આપણે અળગા રહી શકીએ. જીવનને કુંઠિત ના કરો ...! કુંઠિત બનશો તો વિકાસની ક્ષિતિજો ધૂંધળાઈ જશે.... ઉન્નતિના શિખરોનિરાશાનાધુમ્મસમાં છૂપાઈ જશે..!
વિચાર પંખી ૧૪૧
Jain Education International
For Private & Personal Use Only
ww
elbiary.org