________________
જ્ઞાનથી ઝળહળ બનીએ
આજે જ્ઞાનપંચમી છે!
સમ્યમ્ જ્ઞાનની આરાધના-ઉપાસના કરવા માટેની પ્રેરણા આજના દિવસની એક એક ક્ષણ આપણને સંભળાવે છે.
જ્ઞાનનો અજવાસ જ માણસ પાસે ના હોય તો જીવનનાં અંધારભર્યા એ પંથે એકાદડગલુંયે ન મૂકી શકાય ! જ્ઞાન એ તો દીવો છે. જે જીવનને ઝળહળતુ કરી દે સાચી સમજણ જે આપે તેને જ જ્ઞાન કહેવાય!
જે જ્ઞાન જીવનને અજવાળે... જીવનને સંસ્કારોથી શણગારી દેએ જ સાચું જ્ઞાન કહેવાય !
આજે તો જ્ઞાનના નામે અજ્ઞાનની અડાબીડઆંધળી દોટમાં લોકો દોડી જાય છે.
આજે લાભ પાંચમ પણ છે... લાભ! શેનો લાભ? જીવન જો પાપોના શાપથી મુક્ત બને તો જ ખરેખરો લાભ મળ્યો કહેવાય ! આવો લાભ સમ્યગજ્ઞાન મેળવવા ( પામવા પરમાત્માની પ્રાણભરી પર્યાપાસના કરવી પડે !
આજનો દિવસ એટલા માટે જ છે!
વિચાર પંખી ૧૩૯
Jain Education International
For Private & Personal Use Only
w
ainelibia.org