________________
MO’ છે
ભાઈની બીજ / બહેનની રીઝ આજે છે ભાઈબીજ!
આજનો દિવસ પર્વ ગણાય છે. પારિવારિક જીવનના લાગણીના ભાવ-તંતુઓને ગૂંથી રાખવામાં ગૂંચવ્યા વગર ગૂંથવામાં આવા પર્વો મહત્વનો ભાગ ભજવે છે.
શ્રમણ પરમાત્મા મહાવીર સ્વામીના નિર્વાણથી દુઃખના દરિયામાં ડૂબેલા રાજા નંદિવર્ધનને એમના બહેન સુદર્શના સાંત્વના આપે છે . દુઃખી મનને મમતાભર્યો દિલાસો આપે છે. નંદિવર્ધનને ભાઈના વિરહની વેદનાથી મુક્ત કરે છે.
સંબંધોના જગતમાં અરસપરસની હૂંફ બહુ મહત્વનું ફેકટર’ છે.
સંબંધોને સુંવાળા રાખવા સમજ અપેક્ષિત છે. ગેરસમજની ગણતરીઓ સંબંધોને ખરબચડા બનાવી દે છે.
દુનિયાના રાહે ફૂલો કરતા કાંટા વધારે છે, પણ નવાઈ એ છે કે કાંટા કરતા ફૂલના ધા આકરા હોય છે! પારકાની અપેક્ષા કરતા યે પોતાનાની ઉપેક્ષા કરી પડે છે!
સંબંધોને સાચવી રાખો!
કયો સંબંધ ક્યારે ઉપયોગી બને, કંઈ કહેવાય નહીં!
DPS(48,
વિચાર પંખી ૧૩૮
Jatt
utet national
For Private & Personal Use Only
www.jainelibrary.org