________________
અધૂરો હોય પાતળો હોય પણ એના વિકાસની યાત્રા ગતિશીલ રહે છે... પૂર્ણતા તરફ એ ચંદ્ર પ્રગતિશીલ રહે છે... આહિસ્તા આહિસ્તા પણ એકધારી રીતે ચાંદો વધતો રહે છે. અને જ્યાં પૂનમની રાત આવી કે પૂર બહારમાં પોતાની સંપૂર્ણ અદાથી નીકળી પડે છે ચાંદો આભના અનંત બગીચામાં! પણ પછી શું?પછી એ ઘટવા માંડે છે.... ફિક્કો પડવા માંડે છે. ઝંખવાતો જાય છે. કારણ કે વધતો નથી.જે વધે નહીં એ ઘટે જ, અને છેવટે અમાસની કાળી રાત એને ભરખી જાય
છે!
તમારાભીતરમાં રહેલો પ્રેમ પણ બરાબરઆવો જ છે. આ ચાંદા જેવો જ, એ જ્યારે વધતો નથી, વહેંચાતો નથી, ફેલાતો નથી....ત્યારે અટકી જાય...અને મોટે ભાગે તો વાસનાની અલીગલીમાં ભટકી જાય છે!
પ્રેમને પ્રતિપળ વધારતા રહો, નહીંતર ઘટી
જશે.
વિચારપંખી ૧૨૯
Jain Education International
For Private & Personal Use Only
vanelibrary.org