________________
ધરખમ ભાવવધારો!
દિવાળીના દિવસો નજદીક દોડી આવે છે તેમ કેટલાક શબ્દો તીડના ટોળાની જેમ આપણને ઘેરી વળે છે. એમાં ‘ભવ્ય સેલ'...“ધરખમ ભાવ ઘટાડો'... વગેરે વાક્યોના તીર તો વારે વારે આંખ અને કાનને વાગ્યા કરે છે ! ભવ્યસેલની રેલમછેલમાં ધસારોય સારો એવો થતો હોય છે. (ખાસ કરીને બહેનોનો) સેલની રેલમાં કંઈ કેટલી બહેનો બિચારી તણાઈ જાય છે ! કંઈ કેટલા રૂપિયા પર્સથી વિખૂટાં પડી જાય છે ! ધસારો હોય ત્યાં ઘસારો હોય જ ! આ એક એવી છેતરામણી જાળ છે કે ભલભલા એમાં ભોળવાઈ જાય ! સેલની સુંવાળી જેલના સળિયા તો એમાં ફસાનારને જવાગે ! ભાવઘટાડો જોયો એટલે આપણે ભરમાઈ જઈએ છીએ પણ વિચાર કરીએ તો આપણે ખોટમાં છીએ!
ભલે, ચારે બાજુ ભાવઘટાડાના પાટિયાં માર્યા હોય પણ તમે તો તમારા દિલના આંગણે ‘ભાવ વધારો’નું બોર્ડટીંગાડીદો! હાસ્તો! હૈયાના ભાવ ઘટી ગયા તોખલાસ!ભાવો વધતા રહેશે પ્રભાવ વધશે.. અને જીવનની નાવ આગળ ધપશે. જો ભાવ ઘટી ગયા તો જીવનની નાવમાં કાણાં પડી જશે. ને પછી આતે આસ્તે સંસારના દરિયામાં તળિયે!
વિચારપંખી ૧૩૦
Jair
artnernational
For Private & Personal Use Only
www.jainelibrary.org