________________
જીવન છે સંગ્રામ!
આજે છે વિજયાદશમી ! વિજયને વરવાની તિથિ! વિજય મેળવવાનો મોંઘો દિવસ! નવરાત્રિના દિવસો દરમ્યાન કરેલી ઉપાસનાની એક જ ફલશ્રુતિ હોઈ શકે... અને તે વિજય! શેના પર વિજય? પૂછો છો? આપણી જાત પર ! બીજું બધું હારી જઈશું તો ચાલશે બહુ નફો-નુકશાન નહીં રહે...પણ જો જાત સામે હારી ગયા તો, તો એ હાર નામોશીભરી હાર ગણાશે. જાત સાથે ઝઝૂમવું છે.... અને જાત સામે જીતવું છે. આજનું પર્વ જીવવાની ઝળહળતી પ્રેરણા આપતું પાવન પર્વ છે. જાતને તમે જીતી લ્યો, જગત આપોઆપ જીતાઈ જશે. હૈયાના કુરુક્ષેત્ર ઉપર પળેપળનો સંગ્રામ ચાલી રહ્યો છે. વાસનાઓ અને ભાવનાઓ વચ્ચે ! વાસનાના રાવણને ઉપાસનાના રામ બનીને આરાધનાના તીર વડે વીંધી નાંખીએ..
યાદ રાખો ‘અર્નેસ્ટ હેમિંગ્વ’નું આ વાક્ય !
'Man is not made for defeat, A man can be destroyed but not defeated !'
વિચારપંખી ૧૨૭
Jain Education International
For Private & Personal Use Only
www cai