________________
સંસ્કારોની છેડતી ના કરો !!
દિવસ ઉગે છે આથમવા માટે જ ! સવારનો
સૂરજપ્રગટે છે સાંજે ઢળવા માટે ! રાતે ચાંદો નીકળે છે સવારે ડૂબવા માટે !
પણ
કો’ક દિવસ દાડમની કળી જેવો ઉઘડે છે. કો’ક દિવસ સોનેરી કિરણોને વેરે છે. કો’ક ચાંદો ચાંદીના જેવો ચળકતો હોય છે !
નવરાત્ર તો વીતી જવાના ! તમે કદાચ આ સાધના માટે સર્જાયેલા દિવસોને ખાવાપીવામાં ને હલ્લોગુલ્લો કરવામાં પૂરા કરી દેશો ! તો તો.... નાહ્યા પછી સરી પડેલા પાણીની જેમ બધું જ વહી જશે...તમે કોરા ધબ રહી જશો....આ દિવસો ખાણીપીણીની ઉજાણી કરવા માટે નથી ! એકબીજાની સતામણી કરવા માટેના નથી! આદિવસો છે સ્વસ્થ બનીને ‘સ્વ’ ને શોધવા માટે દિવ્ય તત્ત્વની કે પરમાત્માની કૃપા મેળવવા માટે !
સાંસ્કૃતિક પર્વોને વિકૃતિઓની વેવલી વળગણોમાં વીંખી ના નાંખો ! સંસ્કૃતિને ચીંથરેહાલ બનાવી દેવાનું પાપ પ્રકૃતિ નહીં સાંખી શકે.... આમેય દેશમાંકેવિશ્વમાંચારેબાજુઅશાંતિનીઆગલબકારા
વિચારપંખી ૧૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.ramelbrary.org