________________
Ja Education international
આત્મશકિતની આરાધના કરવા માટે નવરાત્રિના દિવસો છે ! ખાઈ-પીને જલસા કરવા માટે નહીં ! એ માટે તો આખી જિંદગી પડી છે ! વરસમાં બહુ થોડા દિવસો આવે છે કે જ્યારે સમગ્ર અસ્તિત્વ આંદોલિત બની જાય.... એવું વાતાવરણ સર્જાય છે....કુદરતના ખોળામાં !
પરમાત્માની પ્રસન્નતા મેળવવા માટે જીવન છે. દુનિયાની નજરોમાં વસવા માટે ન નાચો !
એક વાત સમજી લેજો....શોર.....અવાજ.... ઘોંઘાટ, આ બધામાં તમારી પ્રાર્થના ખોવાઈ જશે તો પરમાત્મા સુધી કે ‘મા’ સુધી નહીં પહોંચી શકે !
પરમાત્માને પામવાનો માર્ગ છે મૌનનો ! મા ને મેળવવાનો રસ્તો છે ખામોશીનો ! શબ્દો કરતા મૌનની તાકાત વધારે છે !
શબ્દો શબ જેવા બની જશે જો મૌનના સૂરમાં નહીં ઢળ્યા હોય !
વિચારપંખી ૧૨૪
For Private & Personal Use Only
www.jainelibrary.org