________________
નોરતાના ઓરતા..
ફરી એકવાર ધરતી અને આકાશ હેલે ચડ્યાં છે. ચાંદ અને તારાઓના દાંડિયા લઈને નીકળી પડેલી રાત રમે છે! | નવરાત્ર! કેટલો અર્થગંભીર શબ્દ છે! આપણે એને સાવ છીછરો અને છેતરામણો કરી મૂક્યો છે ! સમ્યક્ દષ્ટિ ખોવાઈ ગઈ છે!
તમામ પર્વોની રચના પાછળ કંઈક ધ્યેય છે! આદશોંની ઉંડી સૂઝ છે. વ્યવહારની વ્યાપક સમજ છે! નોરતાના નવેનવ દિવસ શક્તિની આરાધના ઉપાસનાના મહામૂલા દિવસો છે ! આ દિવસોમાં વાતાવરણ બદલાઈ જાય છે. મંત્ર-તંત્ર અને યંત્રની સાધના માટે આ દિવસો મહત્ત્વના મનાયા છે.
શક્તિની આરાધના કરીને ભીતરમાં ઢબૂરાઈ ગયેલી અઢળક આત્મશક્તિને જાગૃત કરવાની છે ! માં” ના ચરણે જ્યારે જીવન સમર્પિત બને ત્યારેજ શક્તિના ધોધનો પીનપોઈન્ટ' ખૂલે!
નૃત્ય કરવાનું છે પણ “મા” ને રીઝવવા પરમાત્માને ‘પ્લીઝ કરવા! નહીં કે લોકોનો ‘વન્સમોર' મેળવવા! નાચવાનું છે.... માના ચરણોમાં ! જગતના ચોકમાં નહીં ! “મા” એ તો શક્તિની સ્વરૂપા છે.
વિચારપંખી ૧૨૩
Jain Education International
For Private & Personal Use Only
Gister.org