________________
Jain Education International
આરતી ઉતારો -
www
ખરી?
પણ આ રીતે !
તમે ક્યારેક પરમાત્માની આરતી ઉતારી છે
મંદિરમાં - દેરાસરમાં દરરોજ સાંજ પડે આરતીના ઘંટ સંભળાય છે..... દીવા ઝળુંઝનું થાય છે. નગારે ઘા દેવાય છે, ક્યાંક શંખ પૂરાય છે. અને મીઠા સૂરો/શબ્દોમાં આરતી ઉતારાય છે. જાણો છો શા માટે આરતી ઉતારવાની છે ? આપણા અંતઃકરણની આર્તતા....વ્યથા, પીડાને દૂર કરવા માટે આરતી ઉતારવાની છે. અતિ-દુઃખ જેનાથી દૂર થાય તેનું નામ આરતી ! પણ જો જો આરતી ઉતારતી વેળા હૈયું એકદમ આર્ટ જોઈએ, દિલ ખૂબ જ કોમળ જોઈએ, પરમાત્માના મિલન માટે હૈયું હલબલી ઉઠે, દિલમાં ભાવનાઓના જુવાળ ખળભળી ઉઠે, ત્યારે જે આરતી ઉતરશે, એ આરતી ખરેખર અતિને દૂર કરનારી હશે ! પછી ભલે ને આરતી માની ઉતારો કે પરમાત્માની !
આરતી એની જ ઉતારાય જેને પામવા માટે પ્રાણ તરફડતા હોય, જેને મળવા મન તલસતું હોય, જેને જોવા નજરું વહેતી હોય....હૈયામાં ભાવનાઓનો ધોધ, આંખોમાં હેતની રેલી ને હાથમાં આરતી....
સમજો, તમારી અતિ દૂર થઈ જ જવાની !
વિચારપંખી ૧૨૨
For Private & Personal Use Only
www.jainelibrary.org