________________
નવરાત્ર (નૈવેદ્ય નવમી.....)
નવરાત્રીની નોમને ‘નૈવેદ્ય નવમી ’ કહેવામાં
આવે છે!
નૈવેદ્ય ! ૫રમાત્માના ચરણે જે ધરાય તે ! માના ચરણે જે અર્પણ કરાય તે !
જ્યાં પ્રીતનાં પોયણાં પાંગર્યા હોય ત્યાં અર્પણ આકરું ન લાગે !
જ્યાંસ્નેહનાંસોદાકર્યાહોયત્યાંપછી સમર્પણ સાંકડું ને રાંકડું ન લાગે !
માના ચરણે તો આખું જીવન જ નૈવેદ્યરૂપે સમર્પી દેવાનું છે. જીવનથી વધીને બીજું આપણે શું આપી શકીએ માને કે પરમાત્માને ?
માને તો જેટલું દઈએ એટલું ઓછું ! પરમાત્માના ચરણે આપણું આખ આયખું ધરી દેવાનો સંકલ્પ આજના દિવસે કરી લેવાનો હોય છે. એકવાર અ[પછી આ જીવન માની મૂડી બની જશે. આપણે પછી માત્ર એના Trustee ! માલિક નહીં! આપણે એ મૂડીને સાચવવાની છે ! મા ક્યારે માંગી લે, શી ખબર? જ્યારે મા માંગે ત્યારે મલકાતા મોઢે ને છલકાતા હૈયે એને જીવન સોંપી શકીએ, એ રીતે જીવનને જાળવજો!
વિચારપંછી ૧૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.kaimelioran.org