________________
નવપદ આરાધના (નવમો દિવસ) તપશ્ચર્યા! - સર્વજ્ઞ પરમાત્માના ધર્મશાસનની આ જગતને જે અપૂર્વદેણ છે એમાં તપ બહુ મહત્વ ધરાવે છે !
ખાણમાંથી નીકળેલા સોનાને શુદ્ધ કરવા અગ્નિમાં તપાવવું પડે છે .....એમ અનાદિકાળના કુસંસ્કારોથી દબાયેલા આત્માને અણિશુદ્ધ કરવા માટે તપશ્ચર્યા છે!
અલબતુ, તપના અનેક પ્રકારો છે. ન ખાવું એ જેમ તપ છે, તેમ ઓછું ખાવું એ પણ તપ છે! સહુથી મોટું તપ છે.
કમ ખાવ, ગમ ખાવ ઔર જિંદગી બનાવ.'
કમ ખાવાનું તમે અને હું સમજી શકીએ છીએ પણ ગમ ખાવાની વાત તો સમ ખાવા પૂરતીયે આપણે જાણતા નથી! જાત પર કાબુ રાખવો.દિમાગ પર નિયંત્રણ રાખવું...બહુ જરૂરી છે ! સ્વને અનુશાસિત કરવું એ મહાન તપશ્ચર્યા છે. તપતો કર્મોને તપાવવા માટે કરવાનો છે, જ્યારે આપણે તો પોતે જ તપી જઇએ છીએ! તપ કરીને તવાની જેમ આપણે તપી જઇએ છીએ........ શું બહુ સારા લાગીએ છીએ એ વખતે આપણે ? જરી વિચારો તો ખરા !.
વિચારપંખી -૧૧૭
Jain Education International
For Private & Personal Use Only
jainelilla
.org