________________
નવપદ આરાધના (આઠમો દિવસ )
સંયમ............
ભડકી ના જશો..... શબ્દસાભળીને કે અક્ષરો વાંચીને ! સંયમ જરૂરી છે. ભઈલા! આપણું જીવન બદસૂરત અને બેહુદૂ બની ગયું છે કારણ કે સંયમનો આછો અણસાર પણ ક્યાં છે આપણા વર્તન ---વ્યવહારમાં?
સંયમનો અર્થ માત્ર સંસારત્યાગ કરશો તો કદાચ સંયમ ‘દૂરની મંઝિલ – પુણ્યનો ઉદય’ અને બીજી ઘણી વિશેષતાઓમાં અટવાઇ જશે....
જીવનમાં ડગલે ને પગલે સંયમની જરૂર છે ! ખાવામાં સંયમ, પીવામાં સંયમ, બોલવામાં સંયમ, ચાલાવામાં સંયમ,.....
વિચારોનો સંયમ પણ એટલો જ આવશ્યક છે જેટલો વર્તનનો સંયમ જરૂરી છે.... આપણે તો બેફામ બોલીએછીએ...મનફાવેએમબકીએછીએ....(સૉરી ..કહીએ છીએ !) અને વ્યવહાર તો આપણો વિચારવિહાણો છે જ! પછી સંયમની શું વાતો કરીએ? કેવી રીતે સંયમની આરાધના કરશું ?
જીવનમાં જડેલી સંયમની શ્વેત ચાદરને પળે પળે આપણે ખરડીએ છીએ...કંઈ કેટલા વાસનાનાં
વિચારપંખી - ૧૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.ainelibrat.org