________________
નવપદ આરાધના (પંચમ દિવસ) | સર્વજ્ઞ શાસનના સિદ્ધાંતોને જીવનમાં જીવનાર ને જગતને એ રાહ ચીંધનાર સાધુ પુરુષોના પાવન ચરણે ભાવભીની વંદના!
જે કોઇ સાધુભગવંત પરમાત્મા જિનેશ્વર ભગવંતના શાસનને સમર્પિત છે.....સન્મુખ છે... પછી એ કોઈપણ ગચ્છના હોય, પંથના હોય...સમુદાયના હોય.... એ આપણા માટે સદા સર્વદા વંદનીય છે....આદરણીય છે!
બહુ ધ્યાન માંગી લે એવો શબ્દ છે ‘સવ્વસાહૂણં'! મારી/તમારી માન્યતાના ચોકઠામાં પૂરાયેલા નહીં....પણ “સલ્વ' એટલે બધા જ સાધુભગવંતો, જેઓ પરમાત્માને પંથે ગતિશીલ છે....જેમણે જાતને સમર્પિત કરી છે પરમાત્મશાસન માટ–જગતને સંદેશો દેવા ફરી રહ્યા છે મહાવીરનો! એતમામ સાધુભગવંતોનેહૈયાની અનંતશઃ વંદના..
સાધના કરે તે સાધુ.....!
શ્રમ કરે..કષાયોને દૂર કરવા માટે પરિશ્રમ કરે તે શ્રમણ..
મૌનના મહાસાગરમાં ડૂબકી મારે. ડૂબી જાય તે મુનિ..!
વિચારપંખી - ૧૦૯
Jain Education International
For Private & Personal Use Only