________________
Jain Education International
આવા સાધુભગવંતોનો જાપ શ્યામરંગના વર્તુળમાં કરવાનો છે. તમને ખબર હશેઃ શ્યામરંગ Suck-up કરે છે.....શોષી લે છે ચૂસી લે છે.... અંતરની ધરતી પર ઉગી નીકળેલા વાસનાઓના ઝાડવાં-ઝાંખરાને સૂકવી દે છેઃ
ઝંખનાઓના ઝાળાને જલાવી દે. કામનાઓની ભીનાશને શોષી લે.
એ જ શ્યામરંગમાં સાધુપદની સાધના માટેના સૂચના સૂચક છે. માનસિક વિકૃતિઓને દૂર કરવામાં સાધુપદનું ધ્યાન સહાયક બને છે.
શ્યામ વસ, શ્યામ માળા, શ્યામ આસન આ બધું ઉપયોગી છે. કાળો ડિબાંગ અંધકાર છે માટે તો સૂર્યનું મહત્વ છે !
સાધુતામા સૂર્યની ઉપાસના કરીને જીવનમાં છવાયેલો અજ્ઞાનનો અંધકાર ઓગાળી દઈએ....એજ આજના દિવસનો પયગામ છે!
વિચારપંખી - ૧૧૦
For Private & Personal Use Only
www.jainelibrary.org