________________
નવપદ આરાધના (ચતુર્થ દિવસ )
જેના ચરણોમાં બેસીને સમ્માનની ગંગોત્રીમાં ઝીલવા મળે છે..... એવા ઉપાઘ્યાય ભગવંતોની આરાધના કરવાનો આજ અનેરો દિવસ છે.
જ્ઞાનનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ જિનશાસનમાં ઉપાઘ્યાયનું છે. કારણ કે જ્ઞાનનું દાન કરે છે ઉપાધ્યાય ભગવંત ! મશાલના અજવાળે માઈલોની સફર થઈ શકે છે પણ મશાલ પેટાવનાર મશાલચીને વિસરી જઈએ તો આપણે નગુણા ગણાઈશું!
‘જ્ઞાનીના બહુમાનથી જ્ઞાનતણા બહુમાન!'
રખે આશાતના કરતા એવા જ્ઞાની ઉપાધ્યાય ભગવંતોની! આરાધના કરજો!
મંત્ર-તંત્રના દષ્ટિકોણથી લીલા રંગની માળા.....લીલું આસન....લીલા વસ્ત્રો..... અને લીલા રંગમા ઉપાધ્યાય પદનો મંત્રગર્ભિત જાપ તનના સ્વાસ્થ્ય માટે બાહુ સૂચક મનાયો છે, લીલો રંગ ‘એનર્જી’ ને ગ્રહણ કરે છે માટે તો વૃક્ષનાં પાંદડાઓમાં રહેલું ‘કલોરોફીલ’ આપણને ‘ઑઝોન ’ આપવામાં સહાય બને છે. પ્રાચીન સરસ્વતીકલ્પ પ્રમાણે સરસ્વતીની સાધના પણ લીલા રંગમાં કરવાની રહે છે.
વિચારપંખી - ૧૦૭
Jain Education International
-----
For Private & Personal Use Only
helibaty.org