________________
Jain duten hiernational
નવપદ આરાધના (તૃતીય દિવસ)
જિનશાસનના ૫૨મ રહસ્યભૂત શ્રી સિદ્ધચક ભગવંતની આરાધનાના ત્રીજા દિવસે આચાર્યપદની આરાધના કરવાની છે.
આચાર!
બહુ મહત્ત્વનું સ્થાન ધરાવે છે વ્યક્તિ અને સમષ્ટિ માટે ! આચારથી આખું વ્યકિતત્વ ૫રખાય છે..... આચારથી વિચારોનું વલણ જાણી શકાય છે. પાંચ આચારોના પાલનમાં પ્રાણ પૂરનાર તથા એના પ્રચાર માટે પળેપળ પ્રવૃત્ત આચાર્યોને જિનશાસનામાં તીર્થંકરની ગેરહાજરીમાં તીર્થપતિના સ્થાને નીરખવામાં આવે છે.
સમગ્ર સંધના સંચાલનની જવાબદારી આચાર્યના શિરે હોય છે..... સૂરજ સંતાઇ ગયો હોય કે ચાંદો છુપાઇ ગયો હોય ત્યારે અજવાસ માટે દીવો કામ લાગે છે, તેમ તીર્થંકર ભગવંતો કે કેવળજ્ઞાની અરિહંતો નથી ત્યારે જિનશાસનના રખોપાં કરે છે શાસન, સંઘ અને સંયમને સમર્પિત સૂરિદેવો !
સમગ્ર સંઘનું હિત જેમની આંખોમાં છે..... સકળ સંઘના તમામ જીવો પ્રત્યે મારા-પરાયાની ભેદરેખા વગર જેમનું વાત્સલ્ય વરસે છે...એવા આચાર્ય ભગવંતને અનંત વંદના!!
વિચારપંખી - ૧૦૬
For Private & Personal Use Only
www.jainelibrary.org